વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયામાં પસંદગી ના થવાને કારણે અંબાતી રાયડૂએ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો.
તો હવે ક્રિકેટર અંબાતી રાયડૂ પોતાના સંન્યાસનો નિર્ણય બદલવાની તરફ ઇશારો કરી રહ્યો છે. અંબાતી રાયડૂનું કહેવુ છે કે, ''તે ચેન્નાઇ સુપર કિંગ્સની તરફથી IPL રમીને ક્રિકેટમાં કમબેક કરશે.'' ઉલ્લેખનીય છે કે, અંબાતી રાયડૂ IPLમાં ચેન્નાઇ સુપર કિંગ્સની તરફથી રમે છે. હવે તે પોતાના રિટાયરમેન્ટના નિર્ણયથી યૂ-ટર્ન લેવાની તૈયારીમાં છે.
અંબાતી રાયડૂએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, હું ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમીશ. હાલમાં મારી ફિટનેસ પર ધ્યાન આપવા માંગુ છું.'' તેમણે કહ્યુ કે, ''ચેન્નાઇ સુપર કિંગ્સ હંમેશા એવુ મહેસૂસ કરાવે છે કે તમારું સ્વાગત થઇ રહ્યુ છે.''
અંબાતી રાયડૂને ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં જગ્યા મળી ન હતી, જે પછી તેણે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી સ્ટેન્ડબાય ખિલાડી તરીકે તેની પસંદગી કરવામાં આવી, પરંતુ શિખર ધવન ઇજાગ્રસ્ત થયા પછી રિપ્લેસમેન્ટ તરીકે તેની જગ્યા પર રિષભ પંત અને પછી જ્યારે વિજય શંકર બહાર થયો ત્યારે મયંક અગ્રવાલને જગ્યા મળી, જે પછી રાયડુએ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.
અંબાતી રાયડૂએ સંન્યાસ અને વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળવા વિશે વાત કરતા કહ્યુ કે, ''સંન્યાસ લેવાનો ભાવુક નિર્ણય નથી, કેમકે છેલ્લા 4 વર્ષથી વર્લ્ડ કપ રમવા માટે મહેનત કરી રહ્યો છું. ટીમનો ભાગ ના બનવાને કારણે નિરાશ થયો છે, પરંતુ મેં તે કારણથી રિટાયરમેન્ટની જાહેરાત નથી કરી. મારી પાસે સમય છે, હું મારા નિર્ણયને બદલીને આગળ ક્રિકેટ રમવાનો નિર્ણય કરી શકું છું.'' ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ કે, ''મેં હજુ દૂર સુધી નથી વિચાર્યુ, એક-એક પગલા ભરીશ અને જોઇશ કે આવનારા સમયમાં શું થાય છે.''
આ ક્રિકેટર ટીમ ઇન્ડિયા માટે 55 વનડે મેચ રમી છે અને તેની એવરેજ 47.05 ની છે જેમાં 1694 રન કર્યા છે. રાયડૂએ 3 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી કરી છે. આ સિવાય T-20 મેચની 5 ઇનિંગમાં 10.50 ની એવરેજથી 42 રન કર્યા છે. રાયડૂએ પોતની વનડે ડેબ્યૂ 2013માં કર્યુ હતુ. વર્લ્ડ કપ માટે ચોથા સ્થાન પર પોતાની પાર્ટનરશિપ મજબૂત કરવા માટે રાયડૂને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા સંન્યાસ લઇ ચૂક્યો છે, તેણે અત્યાર સુધી કોઇ ટેસ્ટ મેચ નથી રમી.