વર્લ્ડ કપ 2019માં 2 ભારતીય ખિલાડીઓ ઇજાગ્રસ્ત હોવા છતાં પણ મૌકો ન મળતા અંબાતી રાયડૂએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
અંબાતી રાયૂડને વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટને રિષભ પંતને પસંદ કર્યો હતો.
ઑલરાઉન્ડર વિજય શંકરને પગના અંગૂઠાના ફ્રેક્ચરને કારણે વર્લ્ડ કપથી બહાર નીકાળ્યા પછી મયંક અગ્રવાલને પસંદ કરવામાં આવ્યો.
33 વર્ષીય અંબાતી રાયડૂએ ટીમ ઇન્ડિયાની તરફથી 55 વનડેમાં 47.05ની એવરેજથી 1694 રન કર્યા, જેમાં તેણે 3 સેન્ચુરી અને 10 હાફ સેન્ચુરી કરી.
અંબાતી રાયડૂએ 6 T-20 ઇન્ટરનેશનલમાં પણ ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. રાયડૂએ પોતની વનડે ડેબ્યૂ 2013માં કર્યુ હતુ. વર્લ્ડ કપ માટે ચોથા સ્થાન પર પોતાની પાર્ટનરશિપ મજબૂત કરવા માટે રાયડૂને પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી પહેલા સંન્યાસ લઇ ચૂક્યો છે, તેણે અત્યાર સુધી કોઇ ટેસ્ટ મેચ નથી રમી.
Just Ordered a new set of 3d glasses to watch the world cup 😉😋..
Agarwal has three professional wickets at 72.33 so at least @RayuduAmbati can put away his 3D glasses now. He will only need normal glasses to read the document we have prepared for him. Come join us Ambati. We love the Rayudu things. #BANvIND#INDvBAN#CWC19pic.twitter.com/L6XAefKWHw
તમને જણાવી દઇએ કે, આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે રાયડૂને પોતાના દેશની નાગરિકતા ઑફર કરી છે. જોકે સ્પષ્ટ નથી કે આઇસલેન્ડ બોર્ડે કેટલી ગંભીરતાથી આ ટ્વીટ કર્યુ છે. આઇસલેન્ડ બોર્ડની તરફથી કહેવામાં આવ્યુ છે કે, ''અગ્રવાલે પેશેવર ક્રિકેટમાં 72.33ની એવરેજથી 3 વિકેટ લઈધી આ માટે અંબાતી રાયડૂ પોતાના 3D ગ્લાસ ઉતારી શકે છે. અમે તેના માટે જે દસ્તાવેજ તૈયાર કર્યા છે તેણે વાંચવા માટે સાદા ચશ્મા જોઇશે. અમારી સાથે જોડાઇ જાઓ અંબાતિ. અમે રાયડૂથી જોડાયેલી વાતો પસંદ છે.''
ઉલ્લેખનીય છે કે, બોર્ડના એક અધિકારીએ જણાવ્યુ કે, ''અંબાતી રાયડૂએ BCCIને પોતાના નિર્ણય વિશે જણાવી દીધુ છે.''