ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે આ અંગે હવામાનના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે.
ઉત્તર ગુજરાત, કચ્છમાં 27થી 31 મે વચ્ચે વંટોળની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા
હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મેના અંતથી વંટોળીયા ફુંકાશે અને પથી દરિયાઈ વાવાઝોડું સક્રિય થશે જે 13થી 15મી જુન સુધીમાં દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ લાવશે.
વરસાદ પહેલા આવશે વંટોળ
ઉત્તર ગુજરાત, કચ્છમાં 27થી 31 મે વચ્ચે વંટોળની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વરસાદ વિશે શું કરી આગાહી
1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે.
7 જૂનના દરિયો તોફાની બને તેવી શક્યતા છે.
તો 13 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવશે.
અને 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે.