હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, 'જૂનના અંતમાં ગુજરાત પાણીથી તરબોળ થઇ જશે.'
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ
જૂનના અંતમાં ગુજરાત પાણીથી તરબોળ થઇ જશે: અંબાલાલ
રાજ્ય (ગુજરાત) માં જ્યારે ખરેખર ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે. એવાં સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વધારે મહત્વ ધરાવતી હોય છે. ત્યારે અંબાલાલની આગાહી અનુસાર, રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.
જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.
જુઓ હવામાન વિભાગે શું કરી છે મોટી આગાહી?
અત્રે જણાવી દઇએ કે, હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
21 અને 22 જૂનના રોજ દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જો કે તારીખ 21 અને 22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
શનિવારે રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં સવા ઈંચ, મહેમદાવાદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કપડવંજ, ચોટીલા, સુરત શહેર, ધોળકા અને બોટાદના રાણપુરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.