હવામાનને લઇને અંબાલાલ પટેલનું અનુમાન છે કે, આવતીકાલથી 8મી માર્ચ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે તેમજ 20મી માર્ચથી ગરમી વધવાની શકયતા છે
હવામાનને લઇને અંબાલાલ પટેલનું અનુમાન
ગુજરાતમાં માવઠાના વર્તાઇ રહ્યાં છે એંધાણ
આવતીકાલથી 8મી માર્ચ સુધી વરસી શકે છે કમોસમી વરસાદ
હવામાનને લઇને અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. ગુજરાતમાં માવઠાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. આવતીકાલથી 8મી માર્ચ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. તારીખ 5,6 અને 7 માર્ચ દરમિયાન મધ્ય ગુજરતામાં માવઠાની શકયતાઓ છે.
હવામાનને લઇને શું કહે છે અંબાલાલ પટેલ?
હવામાનના નિષ્ણાંત અંબાબલાલ પટેલે જણાવ્યું છે કે, આણંદ, વડોદરા અને અમદાવાદમાં માવઠાની શકયતાઓ છે તેમજ લુણાવાડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદ થશે. તા. 6,7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાત અને ગીરમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શકયતા છે. બંગાળ અને અરબ સાગર મળતા ભેજના પવનો કારણે વરસાદ થઈ શકે છે. તા. 14,15 અને 16માર્ચે સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણની અને વરસાદની શકયતા છે. 20મી માર્ચથી ગરમી વધવાની શકયતા છે તેમજ 24 અને 25 દરિયામાં હલચલ થવાની શકયતા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 3, 2023
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી તારીખ 5, 6 અને 7 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન છે. અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છેઃ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યના દક્ષિણપૂર્વના છોટાઉદેપુર, વડોદરા, નર્મદામાં હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના છે, આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી અને ભૂજમાં વરસાદ થઈ શકે છે. અપર લેવવમાં હવાનું સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ તરફનું રહેશે, જેના કારણે અરબી સમુદ્રથી ભેજ અપર લેવલમાં આવી રહ્યું છે અને લોઅરમાં પૂર્વીય પવન છે જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે.
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ ખેડૂતો ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવાના આવતા હવે કેરી, ઘઉં અને કપાસના પાકને અસર થવાની ભીતિ ઊભી થઈ છે. અરવલ્લી પથંકમાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. તા.4 થી 6 માર્ચ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રારે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવાની જાણ કરાઈ છે. માર્કેટયાર્ડમાં આવેલા પાકને સચેતસ્થળે ખસેડવા સૂચના જારી કરાઈ છે.જિલ્લા રજિસ્ટ્રારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પત્ર લખી જાણ કરી છે.
વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં
સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એક્શનમાં આવી છે અને આગાહીના પગલે અગમચેતી તૈયારી બતાવી છે. 5 અને 6 માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કમોસમી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ થયું છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ખેતરમાં કાપણી કરેલા પાકો સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઈ છે. ખેડૂતોનો પાક બગડે નહી તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનો કરાયાં છે.
અમરેલીના ખેડૂતો ચિતામાં મુકાયા
રાજ્યમાં માવઠાની આગાહીને લઇ અમરેલીના ખેડૂતો ચિંતામાં મકાયા છે. અમરેલીમાં ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પાકની માવજત તૈયાર કરી છે. ઘઉં, ચણા, જીરું, ધાણા સહિતના પાકોની માવજત કરી છે. કમોસમી વરસાદને લઇ ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે. ખેડૂતો ખેતરમાંથી પાક ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવા મજબૂર બન્યા છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ બંધ રહેશે
હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડે અગમચેતી બન્યું છે. કમોસમી વરસાદ લઇ માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે બંધ રહેશે. આગાહીને લઇ યાર્ડમાં માલ સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. યાર્ડના રાજસ્થાનના શ્રમિકો હોળીના પર્વ નિમિત્તે વતન જશે. હોળીના પર્વને ધ્યાનમાં લઇને પણ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. યાર્ડમાં તમામ પ્રકારની જણસી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે.