આગાહી અંબાલાલે કહ્યું કે, એપ્રિલ મહિનામાં કરા પડી શકે છે. તેમજ મે મહિનામાં વરસાદની ગતિવિધિ વહેલી શરૂ થશે.
અંબાલાલ પટેલનું નિવેદન
"એપ્રિલ મહિનામાં કરા પડશે"
98% વરસાદની શક્યતાઃ અંબાલાલ
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે નિવેદન કર્યુ છે. અંબાલાલે કહ્યું કે, એપ્રિલ મહિનામાં કરા પડી શકે છે. તેમજ મે મહિનામાં વરસાદની ગતિવિધિ વહેલી શરૂ થશે. જયારે 2020 કરતા વરસાદ ઓછો રહેશે. અને ઉત્તર ગુજરાતમાં વરસાદની અનિયમિતતા રહેશે. તો મધ્યગુજરતામાં 98% વરસાદની શક્યતાઓ તેમણે જણાવી છે. ચોમાસુ સારુ રહેશે, પરંતુ વરસાદની અનિયમિતતા રહેશે.
તો હાલમાં તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઇને આજે યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. જ્યારે સુરત 41.2 ડિગ્રી અને વડોદરા 41.5 ડિગ્રીએ પહોચ્યો છે.
તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું તાપમાન 42.3 ડિગ્રીએ પહોંચ્યું છે. તો ગરમીના કારણે તળાવોના પાણીના સ્તરમાં પણ ઘટાડો જોવા મળે છે. આ સાથે લોકોમાં પણ ડિહાઈડ્રેશન અને ઝાળા-ઉલટીની સમસ્યા સામે આવે છે. ઉકળાટના વાતાવરણના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતા કાળજાળ ગરમી પડી રહી છે, માનવી તો ઉનાળાના સમયમાં ગરમીથી બચવા પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે જ છે. પરંતુ અબોલ પક્ષી અને પ્રાણીઓનું શું, તેઓ માટે કઇક કરવું તે પણ માનવીની જ નૈતિક ફરજનો એક ભાગ છે. આ વાતને ધ્યાનમાં રાખતા 365 દિવસ કાર્યરત રહેતી એનિમલ લાઇફ કેરની ટિમ અને શારદા સેવા સંસ્થાન દ્વારા આ બીડુ જડપ્યુ હતું. અને આ ઉનાળાની કપરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.