વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આ ધામ એ લાખો માઇભક્તોનું આસ્થાનું કેન્દ્ર પણ ગણાતું હોય છે. આ ધામમાં દરેક તહેવાર ધામધૂમથી યોજાતા હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન પણ મા અંબેના ભક્તો હર્ષોલ્લાસ સાથે મા અંબાના ચાચરચોકમાં નવલા નોરતા દરમિયાન નવ દિવસ ગરબે રમી અને ધામધૂમથી નવરાત્રા ઉજવતા હોય છે. ત્યારે આ વખતે જાણે સમગ્ર તહેવારો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે મંદિર ખુલ્લું રહેશે પરંતુ...
અંબાજી મંદિર ચાચરચોકમાં આ વખતે નવરાત્રી દરમિયાન નહીં યોજાય ગરબા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે
અંબાજી મંદિરના સમયમાં કરાયો ફેરફાર
હવે નવરાત્રિમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ નવલા નોરતાની ખેલૈયાઓ પણ આતુરતાથી રાહ જોતા હોય છે. હવે આખરે ખેલૈયાઓને નિરાશ થવું પડી રહ્યું છે, જે આખું વરસ રાહ જોયા બાદ હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે અંબાજી મંદિર ચાચરચોકમાં ગરબાનું આયોજન નહીં થાય. ખેલૈયાઓથી જે દર વર્ષેમાં અંબેનું ચાચર ચોક જે હિલ્લોરે ચઢતું હતું તે આ વખતે ખેલૈયાઓ વિના સુનું ભાષસે. નવરાત્રી દરમિયાન માં અંબેના ભક્તો માટે દર્શન ચાલુ રહેશે અને માઈ ભક્તો માટે અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. માઇભકતો મા અંબેના દર્શન નવરાત્રી દરમિયાન પણ કરી શકશે. પરંતુ ખેલૈયાઓ આ વખતે અંબાજી મંદિર ચાચરચોકમાં ગરબા નહીં રમી શકે. અંબાજી મંદિરને નવરાત્રી દરમિયાન શણગારવામાં આવશે પણ કોઈ જાહેર જેમ કે ભીડ ભેગી થાય તેવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે, સમયમાં કરાયો ફેરફાર
રાજ્ય સરકારે કોરોના વાયરસના કારણે નવરાત્રીમાં ગરબા આયોજનને મંજૂરી નથી આપી. નવરાત્રી, દિવાળી, નવુ વર્ષ અને ભાઇબીજને લઇને સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. શેરી ગરબા અને પાર્ટી પ્લોટ સહિત મામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવામાં મા અંબાના ધામ અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોનાના કારણે ચૈત્રી નવરાત્રીમાં બંધ રાખવામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર આસો નવરાત્રીમાં નવેય દિવસ ખુલ્લું રહેશે. તેને લઇને મંદિર ટ્ર્સ્ટ દ્વારા અંબાજી મંદિરના દર્શનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રીના દિવસોમાં મા અંબાની પૂજા-અર્ચના અને આરતી માટે સમય નક્કી કરવામાં આવ્યો છે.
17 ઓક્ટોબર 2020થી આસો નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. નવરાત્રીમાં આઠમના દિવસે સવારે 6 વાગ્યે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 17/10/2020થી સમય નીચે મુજબ રહેશે.