ભાદરવી પૂનમના અવસરે અંબાજીમાં દર વર્ષે મેળાનું આયોજન કરાય છે. આ મેળાને લઈને ભક્તોમાં ભારે આસ્થા અને વિશ્વાસ જોવા મળે છે. દૂર દૂરથી યાત્રિકો પગપાળા મા અંબાના દર્શન કરવા અંબાજી આવે છે. આજે મેળાના છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ભક્તોએ અંબાજી મેળાનો લાભ લીધો છે.
અંબાજી મેળામાં 5 દિવસમાં 15 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
મહામેળામાં સ્વચ્છતા અભિયાનને આપવામાં આવ્યું મહત્વ
મેળાને કારણે મંદિરને થઈ 81 લાખ 70 હજાર રૂપિયાની આવક
આ વર્ષે 30 લાખ જેટલા ભક્તો દર્શનનો લાભ લે તેવી શક્યતા
હાલ સુધી આટલા દર્શનાર્થીઓએ લીધો લાભ
અંબાજીના મેળામાં શ્રદ્ધા સાથે આવનારા પદયાત્રિકોને તકલીફ ન પડે તે માટે રસ્તામાં મોટા મોટા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે. ચા-નાસ્તો, દવાઓ અને આરામ કરવાની વ્યવસ્થાઓ પણ આપવામાં આવે છે. આ કેમ્પનું આયોજન યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. બીજા દિવસે લાખો ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. તો મેળાના ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. અંબાજી મેળાના પાંચ દિવસમાં 15 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. પદયાત્રીઓ જય અંબેના ઘોષ સાથે આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી મંદિરમાં 81 લાખ 70 હજાર રૂપિયાની આવક થઈ છે.
અંબાજીમાં જોવા મળી આ સુવિધાઓ
9 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કર્યું હતું. આ વર્ષે 30 લાખ જેટલા ભક્તો મા અંબાના દર્શનનો લાભ લેશે તેવી શક્યતા છે. મેળામાં આવનારા તમામ યાત્રીઓ માટે જમવાની સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે અંબાજી મહામેળામાં સ્વચ્છતા અભિયાન જોવા મળ્યું છે. કલેક્ટર પોતે પણ આ સફાઇ અભિયાનમાં જોડાયા છે. અન્ય કર્મચારીઓ સાથે કલેક્ટરે પણ સફાઈ કરી છે. ગંદકી ન કરવા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. અંબાજી મંદિર આસપાસના વિવિધ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. તેમજ ગંદકી કે કચરો ન કરવા અપીલ કરવામાં આવી હતી.