આજથી ભક્તો મા અંબાના ચરણોમાં નમાવી શકાશે શિશ. માઇ ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે કારણ કે ભક્તો માટે આજથી અંબાજી મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા છે. કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. જેને લઇ છેલ્લા 70 દિવસ કરતા વધુ સમયથી મંદિરના દ્વાર બંધ હતા. પરંતુ આજથી દર્શનાર્થી મા અંબાના દર્શનનો લ્હાવો લઇ શકશે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન
65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દર્શનાર્થે ન આવવા સૂચના
10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ નહીં આવવા સૂચના
મંદિરમાં સવારે 7:30 થી 10:45 સુધી જ ભક્તો દર્શનનો લાભ લઇ શકશે. તો ભક્તો બપોરે દર્શન કરવા ઇચ્છતા હોય તો તેઓ બપોરે 1 થી 4:30 સુધી દર્શન કરી શકશે. જ્યારે સાંજે 7:30 થી 8:15 સુધી ભક્તો મા અંબાના ચરણોમાં શિશ નમાવી શકશે. પરંતુ કોઇપણ ભક્તને આરતીમાં પ્રવેશ અપાશે નહીં. એટલું જ નહીં જે પણ ભક્ત દર્શન કરવા ઇચ્છતા હોય તેમને બુકિંગ કરાવવાનું રહેશે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે
અંબાજીની વેબસાઇટ અને પ્રવેશ દ્વાર પાસેથી ઓફલાઇન બુકિંગ પણ કરી શકાશે. જો કે માસ્ક વિનાના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, 10 વર્ષથી નાની ઉંમરના બાળકો અને સગર્ભા મહિલાઓને પણ દર્શન માટે નહીં આવવા સૂચના આપવામાં આવી છે. સાથે સાથે ભક્તો માટે મંદિર પરિસરમાં સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ઉભી કરાશે. દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
ભક્તો માટે ખુલશે અંબાજી મંદિર જાણી લો ગાઈડલાઈન
સવારે 7:30 થી 10:45 સુધી કરી શકાશે દર્શન
બપોરે 1 થી 4:30 સુધી ભક્તો દર્શન કરી શકશે
સાંજે 7:30 થી 8:15 સુધી ભક્તો કરી શકશે દર્શન
માસ્ક વિના મંદિરમાં નહીં મળે પ્રવેશ
ભક્તો માટે પરિસરમાં ખાસ વ્યવસ્થા
સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરાશે
સોશિયલ ડિસ્ટન્સિંગનું કરવાનું રહેશે પાલન
65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ દર્શનાર્થે ન આવવા સૂચના