બનાસકાંઠા: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 5માં દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા મેળવી છે. છેલ્લા 5 દિવસમાં કુલ 20 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. પાંચમાં દિવસે કુલ 3.71 લાખ ભક્તોએ દર્શન કર્યા છે.
તો મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 2.59 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો પાંચમાં દિવસે જુદા-જુદા સંઘો દ્વારા 1542 જેટલી ધજાઓ ચઢાવવામાં આવી છે. આમ દેવસ્થાન ટ્રસ્ટને કુલ રૂપિયા 3 કરોડ 4 લાખ રૂપિયાની આવક 5 દિવસમાં થઈ છે.
#Ambaji ના ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ અત્યાર સુધીમાં 20 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન અંબાજી મદિંરમાં છ દિવસમાં રૂ.3.4 કરોડનું દાન ભક્તોએ સોના-ચાંદી સહિતની વસ્તુઓ કરી અર્પણ પાંચમા દિવસે 2.70 લાખ શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લીધો લાભ pic.twitter.com/jUgu96gUY2
તો આ તરફ આજે ભારદવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે વહેલી સવારથી જ પદયાત્રીઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ઉપટી પડ્યા છે. તો આજે સવારથી જ અંબાજીમાં પદયાત્રીઓનો પ્રવાહ સતત ચાલુ છે.
હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માં અંબાના દર્શન કરવા ઉમટી રહ્યા છે. જય અંબેના નાદ સાથે પદયાત્રીઓ રસ્તે જોવા મળી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પદયાત્રીઓ માટે ખાસ વ્યવ્સ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ કોઇ અઘટિત બનાવ ના બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે અંબાજી માતા મંદિર ભારતની 51 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ માં અંબાની દર્શને આવી ચઢે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.