ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, અને તેમના પર અનેક સંશોધન થઈ ચૂક્યા છે.
અંબાજીના ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા
ચરાળા ગામે ગતરાતે દેવલોક પામ્યા
છેલ્લા 76 વર્ષથી અન્ન લેતા ન હતા માતાજી
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડી રાત્રે દેહત્યાગ કર્યો હતો. હવે 28 મેના રોજ અંબાજીમાં તેમને સમાધિ આપવામાં આવશે. છેલ્લા 76 વર્ષથી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. અને વિજ્ઞાન માટે પણ તે એક કોયડા સમાન બની ગયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું.
ચુંદડીવાળા માતાજીનું અવસાન ચરાડા ખાતે અવસાન થયું છે. ચુંદડીવાળા માતાજીને ગબ્બર ખાતે આશ્રમ પર ગુરૂવારે સમાધિ આપવામાં આવશે. મંગળવાર અને બુધવારે દર્શન માટે દેહ મુકવામાં આવશે.
25 માર્ચ, 2020 ના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી ચૂંદડીવાળા માતાજી મૌન ધારણ કરીને અનુષ્ઠાન માટે પોતાની ગુફામાં બિરાજમાન થયા હતા. ચૈત્રી આઠમના રોજ ભક્તોને દર્શન આપ્યાં હતા, ત્યાર બાદ તબિયત ખરાબ થતા થોડા દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયાં હતા, અગાઉ દેવલોક પામ્યા હોવાની અફવા પણ વહેતી થઇ હતી.
પૂજ્ય જય અંબે ચૂંદડીવાળા માતાજી ના દેહાવસાન થી સમગ્ર 76 બ્રહ્મસમાજ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. દિવ્યાત્મા ના દુઃખદ અવસાન ને શ્રધ્ધાંજલિ આપવા અમારી પાસે શબ્દો નથી. લાગણી વ્યક્ત કરવા શબ્દકોશ નાનો પડે છે, આ દુઃખ ની ઘડીઓમાં આપણે સૌ સાથે મળીને દિવ્યાત્મા ના ચરણકમળ માં મસ્તક નમાવી કોટિ કોટિ વંદન કરીએ છીએ