ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા અને અન્નજળ વગર જીવતાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાનીનું આજે દેહાવસાન થયું છે. ત્યારે હવે તેમનો પાર્થિવ દેહ ભક્તોના દર્શન માટે 2 દિવસ સુધી અંબાજીમાં રાખવામાં આવશે.
અંબાજીના ચુંદડીવાળા માતાજી ચરાડી ખાતે દેવલોક પામ્યા
2 દિવસ અંબાજી ખાતે નશ્વર દેહને દર્શન માટે રખાશે
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે ચૂંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. તેમના દેહત્યાગના સમાચારથી ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે હવે તેમના આ પાર્થિવ દેહને આગામી આજે અને આવતીકાલે(27 મે)ના રોજ ભક્તોના દર્શન માટે અંબાજી ખાતે રાખવામાં આવશે અને ત્યારબાદ 28મી મેના રોજ તેમના નશ્વર દેહને સમાધિ આપવામાં આવશે.
તબિયત ખરાબ થતા થોડા દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયાં
25 માર્ચ, 2020 ના રોજથી માતાજીની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોવાથી ચૂંદડીવાળા માતાજી મૌન ધારણ કરીને અનુષ્ઠાન માટે પોતાની ગુફામાં બિરાજમાન થયા હતા. ચૈત્રી આઠમના રોજ ભક્તોને દર્શન આપ્યાં હતા, ત્યાર બાદ તબિયત ખરાબ થતા થોડા દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયાં હતા, અગાઉ દેવલોક પામ્યા હોવાની અફવા પણ વહેતી થઇ હતી.
76 બ્રહ્મસમાજ દુઃખની લાગણી
જય અંબે ચૂંદડીવાળા માતાજીના દેહાવસાન થ સમગ્ર 76 બ્રહ્મસમાજ દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. દિવ્યાત્મા ના દુઃખદ અવસાન ને શ્રધ્ધાંજલિ આપવા અમારી પાસે શબ્દો નથી. લાગણી વ્યક્ત કરવા શબ્દકોશ નાનો પડે છે, આ દુઃખ ની ઘડીઓમાં આપણે સૌ સાથે મળીને દિવ્યાત્મા ના ચરણકમળ માં મસ્તક નમાવી કોટિ કોટિ વંદન કરીએ છીએ