બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ, માઇભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

અંબાજી મેળો / ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ, માઇભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો

Last Updated: 02:13 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભાદરવી પૂનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજીનાં રસ્તાઓ મા અંબાનાં જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.

1/7

photoStories-logo

1. શક્તિપીઠ અંબાજી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું

આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસ છે. અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર સહિત મંદિરની રેલીંગો ભક્તોથી ઉભરાઈ હતી. ભાદરવી મહાકુંભનો ચોથા દિવસે 6,48, 545 ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર દિવસમાં કુલ 16,36,807 ભક્તોએ ચાર દિવસમાં માતાજીનાં દર્શન કર્યા હતાા. મહાકુંભનાં ચોથા દિવસે 98521 લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. ચોથા દિવસે 3,60,863 લોકોએ મોહનથાળનાં પ્રસાદનો લાભ લીધો હતો. ચોથા દિવસે 662 ધજા મંદિરમાં શિખર પર ચઢાવી હતી. આજે સવારથી શક્તિપીઠ અંબાજી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ

ભાદરવી પૂનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજીનાં રસ્તાઓ માં અંબાનાં જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. પગપાળા અંબાજી આવતા યાત્રીકોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાનાં માર્ગો જાણે ભક્તિમય બન્યા છે. ગામે ગામથી માનતા પૂરી કરવા ભક્તો પગપાળા આવ્યા હતા. વિવિધ સંઘો ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. ચાચર ચોકમાં ભક્તો દંડવત પ્રણામ કરતા માં નાં ધામમાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 52 ગજની ધજા લઇને ભક્તો પહોંચી રહ્યા છે અંબાજી

માં અંબાનાં ધામમાં ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું હતું. અંબાજી પહોંચવાનાં માર્ગો જય જય અંબેના નાદથી ગુંજ્યા હતા. દૂર દૂરથી પગપાળા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે. 52 ગજની ધજા લઈ ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. પ્રતિવર્ષ ભક્તો મા નાં દર્શને ભાદરવી પૂનમ ભરવા જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભક્તો સંગીતના તાલે ગરબે ઘુમ્યા

રતનપુર ગામ ભક્તિમય બન્યું છે. ભક્તોનાં મનોરંજન માટે વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જય જલિયણ કેમ્પમાં ભક્તો માટે સંગીતનું આયોજન કરાયું છે. સરદાર પટેલ સેવા કેમ્પમાં પણ ભક્તો માટે સંગીતનું આયોજન કરાયું છે. વિવિધ કલાકારોને આમંત્રણ અપાયું છે. ભક્તો સંગીતનાં તાલે ગરબે ધુમ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી

અંબાજીમાં મેળાનાં ચોથા દિવસે 6.50 લાખ લોકોએ માં અંબાનાં દર્શન કર્યા હતા. કુલ ચાર દિવસમાં 16 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. મંદિરમાં માઈ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રંગબેરંગી લાઈટોનાં શણગારથી અંબાજી મંદિરનો નજારો જોવા મળ્યો હતો. મંદિરનાં શિખરથી ચાચર ચોક સુધી રંગબેરંગી લાઈટો લગાવાઈ હતી. ચાચર ચોકમે વિવિધ ફૂલો દ્વારા સજાવવામાં આવ્યું હતું. માતાજીની ભક્તિ અને આરાધનાં કરતા ભક્તો જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વોટર પ્રુફ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો

અંબાજી જતા પગપાળા યાત્રાળુ માટે વિશેષ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દાંતામાં શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ દ્વારા ભક્તોને આરામ મળી રહે તે માટે આરામ ગૃહની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક સાથે પાંચ હજારથી વધુ યાત્રાળુઓ આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વોટર પ્રુફ વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. ટેબલો સાથે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને મોબાઈલ ચાર્જિંગ માટે ચાર્જિંગ પોઈન્ટની સુવિધા આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા મેડીકલ કેમ્પ શરૂ કર્યા

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં અંદાજિત 150 જેટલા ઓપીડી શરુ કર્યા હતા. અને હવે યાત્રાળુઓનો ધસારો વધુ હોવાને કારણે લગભગ સાડા ત્રણસોથી વધુ ઓપીડી શરુ કરવામાં આવ્યા છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દરેક પ્રકારના દર્દીઓ સારવાર માટે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhadravi Poonam Mela Banaskantha News Pilgrimage Ambaji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ