હાલ દુનિયામાં કોરોનાનો કેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસને લઇને શ્રાવણમાસમાં યોજાતા લોકમેળા આ વખતે રદ્દ થઇ શકે છે. તો રાજ્ય સરકાર અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળાની નહીં આપે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. એક પ્રકારે લોકો ભાદરવી પૂનમના મેળાને લઇને અસમંજસમાં છે ત્યારે રાજ્ય સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઇ શકે છે.
અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર લાગી શકે છે ગ્રહણ
જો મેળો યોજાય તો કોરોનાના કેસ વધે તેવી ભિતી
આ વર્ષે મેળાની મંજૂરી નહી આપવાનો સરકારનો નિર્ણયઃ સૂત્ર
અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઇને મોટા સમાચાર મળી રહ્યાં છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળા પર પણ ગ્રહણ લાગી શકે છે. કોરોનાના ગ્રહણથી ભાદરવી પૂનમનો મેળો બંધ રહી શકે છે. સરકારમાં ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવા ભાદરવી પુનમીયા સંઘ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ રાજ્ય સરકારે આ અંગે બેઠક યોજી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાઇ તેવી શક્યતાઓ છે. ગઇકાલે પૂનમને લઇ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઇ હતી. યાત્રાધામ પ્રધાન અને મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક યોજાઇ હતી. તમામ રિવ્યુ મેળવ્યા બાદ મેળો ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શનાર્થીના આરોગ્યને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે. મેળો યોજાય તો કોરોના સંક્રમણ વધુ ફેલાવવાની સંભાવના છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં 26 લાખ ભાવિકો આવે છે. તેથી ગુજરાત સરકાર અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળાની મંજૂરી નહીં આપે. ને ધ્યાને લઈને કરાયો છે.
3 મંત્રીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિચારણા કરાશેઃ પ્રદિપસિંહ જાડેજા
જોકે ગુરૂવારે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અંબાજી મંદિર પહોંચ્યા હતા. પોતાના પરિવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. તેમણે નિજ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. મંદિર તરફથી પ્રદીપ સિંહ જાડેજાને સ્મૃતિચિહ્નન સ્વરૂપે યંત્ર ભેટ અપાયું હતું. તો તેમણે ભટ્ટજી મહારાજના આશિર્વાદ પણ લીધા હતા. તેમણે મંદિરની સ્વર્ણમય બનાવની કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ભાદરવી પૂનમના મેળાને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 3 મંત્રીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિચારણા કરાશે. મુખ્યમંત્રી હાલની પરિસ્થિતીને અનુરૂપ મેળા બાબતે નિર્ણય લેશે.
સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળા ન યોજવા નિર્ણયઃ સૂત્ર
સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર રાજકોટનો જન્માષ્ટમીના મેળા સહિત રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર યોજાતા મેળાને પણ રાજ્ય સરકાર આ વખતે રદ્દ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં 100થી વધુ મેળાઓ યોજાય છે. જેનો લાભ લાખો લોકો લે છે.