રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ઉગ્ર બન્યું છે. જેના કારણે અમદાવાદ-ઉદેપુર હાઇવે ત્રણ દિવસથી બંધ છે. ત્યારે હિંસક ટોળાએ તોડફોડ અને આગચંપીના બનાવો બની રહ્યા છે એવામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં લોકોના મોત થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે.
હિંસક ટોળાએ કાર-બસો સળગાવી
ખાનગી હોટલ માલિકે કર્યું ફાયરિંગ
ફાયરિંગમાં બે લોકોના મોતઃ સૂત્ર
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ઉગ્ર બન્યું છે. જેના કારણે અમદાવાદ-ઉદેપુર હાઇવે ત્રણ દિવસથી બંધ છે. ખેરવાડામાં હિંસક ટોળાએ કાર અને બસો સળગાવી હતી. અનેક દુકાનોમાં લૂંટ અને પથ્થરમારો પણ થયો હતો.
પથ્થરમારા બાદ ખાનગી હોટલ માલિકે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં બે લોકોના મોત થયું હોવાની આશંકા છે..ખેરવાડા, ડુંગરપુર, બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ છે. ખેરવાડાથી ઉદેપુર વચ્ચે સ્થિતિ ગંભીર છે.
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત રાખી છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. હાઇવે હોટલ પર હજારો ટ્રકોની જમાવડો થયો હતો. ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક કરવામાં આવ્યા છે. મોડી રાત્રે દુકાનો અને ચાર બસો સળગાવાઈ છે.
ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા
રાજસ્થાન અનામત આંદોલન આજે બીજા દિવસે પણ ઉગ્ર બન્યો છે. રાજસ્થાનના કાંકરી ડુંગરી પાસે 20થી વધુ ટ્રકો સળગાવાઈ છે. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
ટોળાએ ભુવાલી પેટ્રોલપંપ પરદોઢ લાખની લૂંટ પણ ચલાવી હતી. શિક્ષક ભરતી આંદોલનનું સમર્થનમાં ઉગ્ર આંદોલન થયું છે. ભિલોડા અને શામળાજીના 200 લોકો આંદોલનમાં પહોંચ્યા છે.