બનાસકાંઠા: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. તો માતાજીના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટશે. આજથી સાત દિવસ માટે અંબાજીમાં આ મેળો યોજાશે. જેમાં હજારો ભતો પગપાળા અંબાજી દર્શનાર્થે પહોંચ્યા છે.
અંબાજી આવતા માર્ગો પર ઠેર-ઠેર ભક્તો માટે ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પગપાળા યાત્રીઓની સેવા માટે કેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભક્તો પગપાળા ચાલીને મા અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. જય જય અંબે બોલ માડી અંબેના નાદ સાથે અંબાજી ગુંજી ઉઠ્યું છે. ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે અંબાજીમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. ત્યારે આરતી માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. મા અંબાની એક ઝલક મેળવવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ત્યારે માંના ભક્તો વિશ્વના કોઈ પણ ખુણેથી મા અંબાના દર્શન કરી શકે અને ધન્ય થઇ શકે તે માટે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વાર વિશિષ્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે ભાદરવી પુનમના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તોમાં અંબાની આરતીના દર્શન ફેસબુક પર લાઈવ કરી શકશે. અંબાજી દર્શનનો સમય
ભાદરવી પૂનમ પ્રસંગે મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સવારે આરતી- 6:15 થી 6:45
સવારે દર્શન - 6:45 થી 11:30
રાજભોગ - બપોરે 12:00 થી 12:30
બપોરે દર્શન -12:30 થી 5:00
સાંજે આરતી - 7:00 થી 7:30
સાંજે દર્શન - 7:30 થી રાત્રે 1:30