ઈ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોન લગભગ 10 હજાર લોકોને નોકરીથી નીકાળી શકે છે; અહેવાલ
"એમેઝોન 10 હજાર લોકોને નોકરીથી નીકાળી શકે છે"
એમેઝોનમાં 16 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે.
રોબોટના ઉપયોગમાં વધારો કરશે કંપની: રોબોટિક્સ ચીફ
ઈ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોન લગભગ 10 હજાર લોકોને નોકરીથી નીકાળી શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર, થોડા જ સમયમાં એમેઝોનમાં નોકરી કરતા કેટલાક લોકોની નોકરી જઈ શકે છે. છેલ્લા કેટાલાક ક્વોર્ટરમાં કંપનીને ફાયદો ન થવાને કારણે આ નિર્ણય લઈ શકે છે. અમેઝોનને વહેમ છે કે, આર્થિક મંદી લગાતાર વધી રહી છે તેવામાં કંપનીને ખર્ચ ઓછો કરવો જોઈએ. કંપનીએ ગયા વિકમાં હાયરિંગ ફ્રિજ કરવાની એનાઉંસમેન્ટ કરી હતી, તો કેટલાક લોકોને બીજી જગ્યાએ નોકરી શોધવાનું પણ કહેવાયું છે. તેમને જણાવી દઈએ કે, એમેઝોન તરફથી છટણીને લઈ કોઈ નિવેદન સામે આવ્યું નથી.
એમેઝોનમાં 16 લાખથી વધુ કર્મચારીઓ
એમેઝોનની પાસે 31 ડિસેમ્બર 2021ના આંકડા અનુસાર લગભગ 16 લાખથી વધુ ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે. જો તે 10 લાખ કર્મચારીઓને એક સાથે નીકાળે છે તો તે એમેઝોનના ઈતિહાસમાં સૌથી મોટી છડણી હશે. પાપ્ત માહિતી અનુસાર કંપની 1 ટકા કર્મચારીઓને નીકાળવાની તૈયારીમાં છે.
રોબોટના ઉપયોગમાં વધારો કરવા જઈ રહી છે
એમેઝોન કંપનીમાં કામ કરાવવા માટે કેટલાય યુનિટમાં રોબોટના ઉપયોગમાં વધારો કરવા જઈ રહી છે. ડિલેવરી પેકેટ્સ લગભગ મોટાભાગના રોબોટ્સ સિસ્ટમથી પેક થઈ રહ્યાં છે.
રોબોટિક્સના ચીફ ટાઈ બ્રાડીનું નિવેદન
એમેઝોનમાં રોબોટિક્સના ચીફ ટાઈ બ્રાડીને કહ્યું કે, આવતા પાંચ વર્ષમાં પેકેજિંગ સિસ્ટમ સૂંપર્ણ 100 ટકા રોબોટ્સથી જ થશે. તેમણે સંકેતે આપતા જણાવ્યું કે, ભવિષ્યમાં કર્મચારીઓની લેવાની જગ્યાએ રોબોટ્સ લેશે પરંતું જેને ઘણો સમય લાગશે. બ્રાડીએ કહ્યું હતું કે, કંપનીમાં કામ ચોક્કસ બદલાઈ જશે પરંતું લોકોની જરૂર તો રહેશે.