દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ ભારતના પ્રવાસે છે. એમેઝોન કંપનીના સીઇઓ (CEO) જેફ બેઝોસ (Jeff Bezos) ભારતના પ્રવાસે છે અને સતત મોટા રોકાણનું એલાન કરી રહ્યા છે. પોતાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છે છે પરંતુ પીએમ કાર્યાલય તરફથી હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી. એવા ક્યાસ લગાવાઇ રહ્યા છે કે આ મુલાકાત ટાળવામાં આવી શકે છે.
ભારત પ્રવાસે એમેઝોનના સીઇઓ જેફ બેઝોસ
દેશના ઘણા ભાગોમાં જેફ બેઝોસનો થઇ રહ્યો છે વિરોધ
PM મોદી સાથેની જેફ બેઝોસની મુલાકાત ટળી શકે છે
અંગ્રેજી સમાચાર ઇકૉનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર, એમેઝોનની તરફથી સતત પીએમ નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. પરંતુ આ સંભવ થઇ શક્યું નથી. આ મુલાકાત પર નજર રાખનારા એમેઝોનના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન સ્થિતિમાં આ મુલાકાત થવાની સંભાવના ઘણી ઓછી છે.
શું હોઇ શકે કારણ?
થોડા દિવસો પહેલા એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઇ-કોમર્સ કંપનીઓને લઇને સરકારની તરફથી કડક વલણ અપનાવાયું હતું. જે બાદ આ બંને કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલા રોકાણની કોમ્પિટિશન કમીશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ ક્ષેત્રમાં સતત થઇ રહેલા રોકાણ બાદ નિયમોમાં કેટલાક બદલાવ કર્યો હતો, તેથી વિદેશી કંપનીઓેને પોતાના બિઝનેસ મોડલમાં બદલાવ કરવો પડ્યો હતો.
સરકાર અને કંપનીઓની વચ્ચે આ ટકરાવની અસર હવે પીએમ મોદી અને એમેઝોનના સીઇઓ જેફ બેઝોસની મુલાકાત પર પડતી દેખાઇ રહી છે. અમેરિકી સમાચાર 'ધ વોશિંગ્ટન પોસ્ટ'નો પણ જેફ બેઝોસ સાથે સંબંધ છે, જેને જેફની જ એક કંપનીએ ખરીદી લીધું હતું. નોંધનીય છે કે, 'ધ વોશિંગ્ટન પોસ્ટે' મોદી સરકારની નીતિઓની ટીકા કરી હતી.
દેશમાં થઇ રહ્યો છે વિરોધ
એમેઝોનના સીઇઓનો ભારત પ્રવાસનો વિરોધ થઇ રહ્યો છે. દેશના ઘણા શહેરોમાં નાના વેપારીઓએ જેફ બેઝોસના ભારત પ્રવાસના વિરોધમાં પ્રદર્શનની વાત કહી છે. જ્યાં પણ જેફ બેઝોસ જઇ રહ્યા છે ત્યાં કાળા ઝંડા બતાવાઇ રહ્યા છે. વેપારીઓનો આરોપ છે કે, ઇ-કોમર્સને કારણે તેમના વેપાર પર અસર પડી છે. સરકારે આ પ્રકારના બિઝનેસમેન પ્રત્યે કડક વલણ અપનાવવું જોઇએ. એવામાં જો કોઇ રાજનેતા આવા સમયે એમેઝોનના ચીફને મળે છે તો ચૂંટણીઓ પર તેની અસર પડી શકે છે.
નોંધનીય છે કે, એમેઝોનના સીઇઓએ ભારતમાં પ્રવાસ દરમિયાન અરબો રૂપિયાનં રોકાણનું એલાન કર્યું છે અને પોતાના વેપારના વિસ્તારની વાત કહી છે.