અમૃતસર એક એવું શહેર છે, જ્યાં ઐતિહાસિક ઇમારતોની સાથે સાંસ્કૃતિક ધરોહર અને ધાર્મિક વિરાસતનો સંગમ જોવા મળે છે. આઝાદીના સંઘર્ષની યાદો સાચવીને બેઠેલા આ શહેરમાં તમે ગોલ્ડન ટેમ્પલ જોઇ શકો છો. વાઘા બોર્ડર અને ત્યાં થનારી બીટિંગ રિટ્રીટ સેરેનમી જોઇ શકાય છે. અહીં જલિંયાવાલા બાગની મુલાકાત પણ લઇ શકાય છે.
ઐતિહાસિક ઇમારતોની સાથે ધાર્મિક વિરાસતનો સંગમ અમૃતસરમાં
આ શહેરમાં તમે ગોલ્ડન ટેમ્પલ જોઇ શકો છો
વાઘા બોર્ડર પર થનારી બીટિંગ રિટ્રીટ સેરેનમી જોઇ શકો છો
ભારતીય રેલ્વેની ટ્રાવેલ અને ટુરિઝમ વિંગ એવા યાત્રીઓ માટે એક ખાસ ટુર પેકેજ લાવી છે, જે અમૃતસર ફરવાની ઇચ્છા રાખે છે. જો તમે પણ આ સુંદર શહેરની બ્યુટી, ધાર્મિકતા અને ટુરિઝમને એન્જોય કરવા ઇચ્છતા હો તો આ પેકેજનો લાભ લઇ શકો છો. અમૃતસરના આ ટુર પેકેજની શરૂઆત નવી દિલ્હીથી થશે.
શું છે આ ટુરની ખાસિયત
આ ટુરની ખાસિયત એ છે કે તમે તેને વીકેન્ડ પર એન્જોય કરી શકો છો. આ ટુર દર શુક્રવાર અને શનિવારે શરૂ થશે. તમારે લાંબા પ્લાનિંગની જરુર નથી. આ માત્ર એક રાત અને બે દિવસનું ટુર પેકેજ છે. ત્રણ લોકોના ગ્રુપ માટે તમારે 5,545 રૂપિયા ખર્ચ કરવા પડશે. ટુરની શરૂઆત નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની સવારે 6.45 વાગે થશે. અહીંથી દરેક યાત્રીઓએ સવારે 7.20 વાગ્યે સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસથી અમૃતસર માટે રવાના થવું પડશે.
આ પેકેજનુ નામ છેલ ન્યુ દિલ્હી- અમૃતસર ટુર
ટુર પેકેજમાં બ્રેકફાસ્ટની સુવિધા પણ આપવામાં આવી રહી છે. યાત્રીઓ ટ્રેનમાં જ બ્રેકફાસ્ટ કરશે. અમૃતસરમાં હોટલ કાઉન્ટી ઇન એન્ડ સુટમાં રહેવાની વ્યવસ્થા હશે અથવા આ ક્લાસની અન્ય હોટલમાં રોકાવાની સુવિધા પણ અપાશે. અહીં લંચ કર્યા બાદ બધા યાત્રીઓ વાઘા બોર્ડર પર ફરવા જશે. પાછા ફરીને ડિનરની વ્યવસ્થા હોટલમાં જ ઉપલબ્ધ હશે. આ પેકેજનુ નામ ન્યુ દિલ્હી- અમૃતસર ટુર છે.
ગોલ્ડન ટેમ્પલના દર્શન
ટુરના બીજા દિવસે યાત્રી સવારે હોટલમાં બ્રેકફાસ્ટ કરશે અને પછી ગોલ્ડન ટેમ્પલના દર્શન માટે રવાના થશે. અહીંથી જ જલિયાંવાલા બાગ જવાની વ્યવસ્થા કરાશે. યાત્રીઓ માટે લંચની સુવિધા હોટલમાં જ રાખવામાં આવી છે. લંચ બાદ તમામ યાત્રીઓને અમૃતસર રેલ્વે સ્ટેશન લવાશે, ત્યાઁથી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ દ્વારા તમામ યાત્રીઓને દિલ્હી પાછા લવાશે. આ ટુર માટે સિંગલ સિટિંગના તમારે 8,090 રૂપિયા ચુકવવા પડશે અને ડબલ સિટિંગ માટે પ્રતિ વ્યક્તિ 5,995 રૂપિયા ખર્ચવા પડશે. ટ્રિપલ સિટિંગ માટે આ ખર્ચ પ્રતિ વ્યક્તિ 5,545 રૂપિયા છે.