ખરાબ જીવનશૈલી અને કામના વધતા પ્રેસરના કારણે આજકાલ લોકોને કબજિયાતની સમસ્યા થવી સામાન્ય વાત છે. કબજિયાત આજે એક સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ શું આપ જાણો છો કે કબજિયાતને દૂર કરવાના ઉપાય તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે.
લીંબુ
લીંબુનો રસ પાચન તંત્રને સુધારે છે. તેમાંથી શરીરમં રહેલા ઝેરી કણ નિકળી જાય છે. તાજુ લીંબુ પાણી સવારે પીવાથી કબજિયાત થતી નથી. ઈચ્છો તો લેમન ટી પણ પી શકો છો.
ફુદીનો અને આદુ
ફુદીનો અને આદુ બંન્નેની ચા બનાવીને પીવાથી કબજિયાતની સમસ્યા નથી રહેતી. આદુની ચા કબજિયાતથી છુટકારો મેળવવા માટેનો એક અસરદાર ઉપાય છે.
ગોળ
રાત્રે સુતા પહેલા ગોળ ખાવાથી સવારના સમયે કબજિયાતની સમસ્યા નથી થતી. વિટામિન અને મિનરલ્સથી ભરપુર ગોળને ગરમ કરીને ખાવાથી કબજિયાતમાં ખુબ આરામ મળે છે
કોફી
કોફી પીવાથી પ્રેશર ઝડપી બને છે. માટે કોફીનું સેવન પણ લાભદાયી નિવડે છે.
રાસબરી
રાસબરી ખાવાથી તમારા પેટ સંબંધી તમામ બીમારીઓ દૂર થઈ જાય છે. રોજ 3 ગ્રામ રાસબરી ખાવાથી કબજિયાતને આરામથી દૂર કરી શકાય છે. હકીકતામાં રાસબરીમાં ભારે માત્રામાં ફાઈબર હોય છે જેનાથી કબજિયાને દૂર કરવામાં મદદ મળે છે.
ટહેલવા જવું
દરરોજ 15 મિનિટ ટહેલવાથી પણ આરામથી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. વધારે જમ્યા બાદ જો તમને ઉંઘ આવવા લાગે છે તો તમારે થોડું ટહેલવા જવું જોઈએ.