રાજસ્થાનનું નામ આવતા જ મગજમાં કિલ્લાઓ અને મહેલોનું ચિત્ર ઉપસવા લાગે છે. પરંતુ આજે કોઇ કિલ્લા અને મહેલ વિશે વાત નથી કરી રહ્યા. પરંતુ અમે વાત કરી રહ્યા છે એવા મંદિરની જેમાં એક દેવ્ય ઘડો રાખવામાં આવ્યો છે દૈવ્ય એટલા માટે કેમ કે આ માટલાંમાં ગમે તેટલું પાણી કેમ ન નાખો તે હંમેશા ખાલી જ રહે છે. આગળ જાણો કેમ વૈજ્ઞાનિકો પણ હેરાન છે આ ઘડાના પાણીથી…
રાજસ્થાનના પાલી જિલ્લામાં શીતળા માતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં માતાની મૂર્તિ સામે જમીનમાં એક માટલું રાખેલું છે. કહેવામાં આવે છે કે આ માટલામાં ગમે તેટલું પાણી કેમ ન ભરી દો પણ તે હંમેશા ખાલી જ રહે છે.
જમીનની નીચે કુંડનુમા તરીકે ઓળખાતું આ માટલું અડધો ફીટ ઉંડું અને અડધો ફીટ પહોળું છે. જાણકારી મુજબ આ ઘડામાં 50 લાખ લીટર સુધી પાણી ભરી દેવામાં આવ્યું છે છતાં માટલું ખાલીનું ખાલી જ રહ્યું.
આ માટલાંના મુખને બે વખત જ ખોલવામાં આવે છે અને ત્યારે જ આમાં પાણી ભરવામાં આવે છે. એક વાર શીતળા આઠમ અને એક વાર જેઠ મહિનાની પૂનમની તિથિ નિમિત્તે આ માટલાંનું મોઢું ખોલવામાં આવે છે. આ સમયે ગામના અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા ઘડામાં પાણી ભરવામાં આવે છે. આ બંને દિવસે અહીં મેળો પણ લાગે છે.
માન્યતા છે કે આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું છે. મંદિરનું નિર્માણના સમયે જ આ ઘડામાં પાણી ભરવાની પ્રથા ચાલી રહી છે. કહેવાય છે કે વૈજ્ઞાનિકો દ્વારા આ જાણવાની પ્રયત્ન કરવામા આવ્યુ છે કે આ પાણીના ક્યાં જાય છે? પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી.
આ મંદિર અને માટલાને લઈને ભક્તો એક વાર્તા પણ જણાવે છે કહે છે કે 800 વર્ષ પહેલાં ગામમાં બાબરા નામનો એક રાક્ષસ આવી ગયો હતો જેણે આખા ગામમાં આતંક મચાવ્યો હતો. દુઃખી ગામજનોએ શીતળા માતાનું ધ્યાન ધર્યું. ત્યારે પ્રગટ થઈ માતાએ રાક્ષસનો વધ કર્યો. અંતિમ ઈચ્છાના રૂપે રાક્ષસે માતા પાસે વરદાન માગ્યું કે મારી આત્માની તૃપ્તિ માટે દર વર્ષે મને પાણી પીવળાવવામાં આવે. માતાએ એની ઈચ્છા પૂરી કરતાં તથાસ્તુ કહ્યું. બસ ત્યારથી માતાના મંદિરમાં આ માટલાંની સ્થાપના કરવામાં આવી અને દર વર્ષે 2 વખત પાણી ચઢાવવાની પ્રથા ચાલી આવી રહી છે.
જે માટલું પાણીના લાખો લોટા પી જાય છે તે પુરોહિતજી દ્વારા માત્ર 1 લોટો દૂધ નાખવાથી જ ભરાઈ જાય છે. દર વર્ષે પાણી ભર્યા બાદ પુરોહિતજી આ ઘડામાં એક લોટો દૂધ અર્પિત કરે છે અને બાદમાં આ માટલાંનું મોઢું બંધ કરી દેવામાં આવે છે.