માથાનો દુખાવો આજના યુગમાં એક સામાન્ય સમસ્યા છે. જેના ઘણા કારણો હોઈ શકે છે તણાવ માઈગ્રેન કે પછી ઉંઘ પૂરી ન થવી. એવામાં લોકો માથાના દુખાવામાં રાહત મેળવવા માટે પેઈનકિલરનો સહારો લેતા હોય છે પણ દવાઓના ઘણા સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. જેનાથી બચવા માટે તમારે ઘરેલું ઉપાયોને અજમાવવા જોઈએ.
નીલગિરી
ભયંકર માથાનો દુખાવો છે તો નીલગિરીના તેલથી માથામાં માલિશ કરાવો. એ દરમિયાન આંખો બંધ રાખો તો ફાયદો થશે.
આદુ
માથાના દુખાવામાં રાહત માટે આદુથી ઉત્તમ કંઈ નથી. આદુને પાણીમાં નાખીને ઉકાળી લો અને પછી તેનો ભાપ લો ફાયદો થશે.
લીંબુ
આ ઉપરાંત આદુના રસ અને લીંબૂના રસને બરોબર માત્રામાં ભેળવીને દિવસમાં એક કે બે વાર પીવો.
ફુદીનો
ફુદીનાની પાંદડીઓનો રસ કાઢીને માથા પર લગાવો માથાના દુખાવામાં આરામ મળે છે.