શું હંમેશાં જૂતાંનો ઉપયોગ આરોગ્ય માટે યોગ્ય છે? ઘણા પ્રયોગોમાં સામે આવ્યું છે કે પગમાં જૂતા પહેરીને ચાલવાથી આપણી ચાલ પ્રભાવિત થાય છે. તેનાથી એ વાત પર પણ પ્રભાવ પડે છે કે આપણા પગ ધરતી સાથે કયા પ્રકારના સંપર્કમાં રહેશે. દરેક પગલાં સાથે પડતું દબાણ પણ જૂતાંને કારણે બદલાઇ શકે છે. ચાલવું અને દોડવું માનવજાતિના જીવનનો આધાર છે.
વોશિંગ્ટનઃ સેન્ડલ તેમજ શૂઝની શોધથી મનુષ્યના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં. ૪૦ હજાર વર્ષ પહેલા જ્યારે મનુષ્યએ પહેલી વાર સેન્ડલનો પ્રયોગ શરૂ કર્યો હશે તે સમય માણસ માટે કોઇ ઉપલબ્ધિ કરતા ઊતરતો ન હતો. આજે સ્થિતિ એ છે કે દરેક વ્યક્તિ તેનો પ્રયોગ કરી રહી છે. કદાચ જ કોઇ એવું હશે, જેનો તેની સાથે કોઇ પરિચય નહીં હોય. હવે તેના પ્રયોગ પર સવાલ ઊઠવા શરૂ થયા છે.
સવાલ એ ઊઠી રહ્યો છે કે શું હંમેશાં જૂતાંનો ઉપયોગ આરોગ્ય માટે યોગ્ય છે? ઘણા પ્રયોગોમાં સામે આવ્યું છે કે પગમાં જૂતા પહેરીને ચાલવાથી આપણી ચાલ પ્રભાવિત થાય છે. તેનાથી એ વાત પર પણ પ્રભાવ પડે છે કે આપણા પગ ધરતી સાથે કયા પ્રકારના સંપર્કમાં રહેશે. દરેક પગલાં સાથે પડતું દબાણ પણ જૂતાંને કારણે બદલાઇ શકે છે. ચાલવું અને દોડવું માનવજાતિના જીવનનો આધાર છે.
આદિકાળથી જ જંગલી જાનવરોના શિકાર માટે તેમની પાછળ દોડવું કે પછી જાનવરથી બચવા દોડ લગાવવી મનુષ્યની જરૂરિયાત રહી છે. આજની તારીખમાં કોઇ પણ રસ્તે આપણે સરળતાથી દોડી શકીએ છીએ. ક્યાંય પણ ચાલવામાં આપણને પરેશાની થતી નથી. તેનું મોટું કારણ છે જૂતાં કે ચંપલ. સવાલ એ છે કે જ્યારે મનુષ્યએ જૂતાંની શોધ કરી ન હતી ત્યારે તેના પગની સુરક્ષા કેવી રીતે થતી હતી?
તેનો જવાબ પ્રકૃતિની વ્યવસ્થામાં છુપાયેલો છે. નગ્ન પગે ચાલવામાં મનુષ્યને પ્રકૃતિ સુરક્ષાકવચ આપતી હતી. આવા લોકો માટે પ્રકૃતિની વ્યવસ્થા એ રહી કે તેમની એડી અને તળિયાની ત્વચા સખત થઇ જતી હતી. આ ત્વચા નગ્ન પગે ચાલવા કે દોડવા પર તેમને દર્દનો અહેસાસ થવા દેતી ન હતી. પગને સખત બનાવવાની આ પ્રકૃતિની વ્યવસ્થાને સમજવા હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધક ડેનિયલ લિબરમેને વ્યાપક સંશોધનને અંજામ આપ્યો.
વિજ્ઞાનીઓએ જાણ્યું કે જે લોકો સતત નગ્ન પગે ચાલે છે તેમના પગના નીચેના ભાગની ત્વચા અન્ય ભાગની ત્વચાની તુલનાએ ૨૫થી ૩૦ ટકા જાડી થઇ જાય છે. તેનો લાભ એ થાય છે કે વ્યક્તિને ચાલતી વખતે નાના મોટા કાંકરા કે પથ્થરથી દર્દનો અનુભવ થતો નથી. વિજ્ઞાનીઓ એ પરિણામ પર પહોંચ્યાં કે જ્યાં શક્ય હોય ત્યાં લોકોએ નગ્ન પગે ચાલવાનો પ્રયાસ કરવો જોઇએ.