ખાસ કરીને શરદી કે ખાંસી થાય ત્યારે ઘરેલુ ઇલાજના રુપમાં હળદરવાળા દુધનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે હળદરવાળા દુધનો એક નહીં, અનેક ફાયદા છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણો હોય છે. દુધ અને કેલ્શિયમનો સ્ત્રોત હોવાના કારણે શરીર અને મગજ માટે તે અમૃત સમાન છે, પરંતુ જ્યારે બંનેના ગુણોને ભેળવી દેવામાં આવે તો તે તમારા માટે શ્રેષ્ઠતમ સાબિત થાય છે.
જો તમને કોઇ કારણથી શરીરના બહારના કે અંદરના ભાગમાં ઇજા થાય તો હળદરવાળું દુધ તેને યોગ્ય કરવામાં મદદ કરે છે. તમારો ઘા જલ્દીમાં જલ્દી ઠીક થઇ જાય છે. તે પોતાના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટીક ગુણોના કારણે બેક્ટેરિયાને ઉદ્ભવવા દેતુ નથી
શરીરના દુખાવામાં પણ હળદરવાળુ દુધ આરામ આપે છે. હાથ કે પગ અથવા શરીરના અન્ય કોઇ પણ ભાગમાં દુખાવાની ફરિયાદ હોય તો રાતે સુતા પહેલા હળદરવાળા દુધનુ સેવન કરવું જોઇએ.
દુધ પીવાથી ત્વચામાં કુદરતી ચમક પેદા થાય છે. દુધ સાથે હળદળના સેવનથી એન્ટીસેપ્ટીક અને એન્ટીબેક્ટેરિયલ સમસ્યાઓ જેમ કે ઇંફેક્શન, ખુજલી, પિમ્પલ્સ જેવા બેક્ટેરિયા ધીમે ધીમે ખતમ કરી દે છે. તેનાથી તમારી ત્વચા સ્વચ્છ, સ્વસ્થ અને ચમકદાર દેખાય છે.
શરદી, ખાંસી, કફ કે તાવ જેવી સમસ્યા હોય તો હળદરવાળા દુધના સેવનથી લાભ મળે છે. તેમાં શરદી કે કફ હોય તો ગરમ દુધના સેવન સાથે જ ફેફસામાંથી કફ નીકળી જાય છે. ઠંડીની સીઝનમાં તેનું સેવન તમને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.
દુધ પીવાથી હાડકા તો મજબુત થાય જ છે, પરંતુ દુધમાં કેલ્શિયમ હોવાની સાથે હળદરમાં પણ એવા ગુણ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. હાડકા સંબંધિત અન્ય સમસ્યાઓમાંથી તે છુટકારો આપે છે અને ઓસ્ટિઓપોરોસિસમાં પણ કમી આવે છે.
ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો હળદરવાળુ દુધ સારો ઘરેલુ ઉપાય છે. રાત્રે ભોજન પછી અને સુવાના અડધો કલાક પહેલા હળદરવાળુ દુધ પીવો.
હળદરના દુધના સેવનથી તમારા આંતરડા સ્વસ્થ રહે છે, પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. પેટના અલ્સર, ડાયેરિયા, અપચો, કોલાઇટિસ જેવી સમસ્યાઓમાં હળદરવાળુ દુધ ફાયદાકારક છે.