ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેને ખાવામાં કેટલીક સાવધાની અને તેના લાભ આજે જાણી લો.
લીલાં શાકભાજીમાં ભીંડાનું બહુ મહત્વ છે
ભીંડા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક છે
અનેક રોગો સામે રક્ષણ આપે છે ભીંડાનું સેવન
આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીલાં શાકભાજીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધાં જ લીલાં શાકભાજી ખાવા જોઈએ. પરંતુ કેટલાક શાકભાજી એવા હોય છે જે ઘણાં પ્રકારની બીમારીઓમાં દવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. એવું જ એક ગુણકારી શાક છે ભીંડા. ભીંડામાંથી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તો આજે અમે તમને ભીંડા ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.
કોણે ખાવા?
જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા શક્તિદાયક છે. ભીંડા જાતીય શક્તિ વધારનારા અને શુક્રવર્ધક હોવાથી નબળાઈ ધરાવતા પુરુષોએ ખાવા જોઈએ.
કોણે ન ખાવા?
ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન લેવા.
ફાયદા
ભીંડામાં ફાયબર સારી માત્રામાં હોય છે. જેથી તેને ખાવાથી પાચન સુધરે છે. ભીંડાને ડાયટમાં સામેલ કરવાથી પેટ સંબંધી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.
ભીંડા લોહીમાં રહેલાં શુગરને શોષી લે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. ભીંડા આંતરડા માટે ફિલ્ટરનું કામ કરે છે.
ગેસની સમસ્યા
ભીંડા પિત્ત અને કોલેસ્ટ્રોલમાં પણ ઉપયોગી છે. ગેસની સમસ્યામાં તો ભીંડા વરદાનરૂપ છે. ભીંડા શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.
પાચનશક્તિ
ભીંડા હંમેશાં ચાવીને ખાવા જોઈએ. જો તે ચાવીને ખાવામાં ન આવે અને પાચનશક્તિ સારી ન હોય તો પેટમાં દુખાવો થઈ શકે છે.
ડાયાબિટીસ
સારી માત્રામાં ફાયબર હોવાથી ભીંડા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ભીંડાનું પાણી ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે. તેને તૈયાર કરવા માટે 2 ભીંડા લઈ તેના ડીંટા કાપી લેવા. પછી તેને 1 ગ્લાસ પાણીમાં રાતે પલાળી દેવા. સવારે આ પાણીમાંથી ભીંડા કાઢીને તેનું પાણી પી જવું. રોજ સવારે આ પાણી પીવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સ્કિન માટે
ભીંડામાં વિટામિન સી હોય છે. જે સ્કિન ટિશ્યૂને રિપેર કરીને સ્કિનને યંગ અને હેલ્ધી રાખે છે. જેથી ડાયટમાં ભીંડા ખાવાથી સ્કિનને પણ લાભ થાય છે.
એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સોર્સ છે
જો તમે એન્ટીઓક્સીડેન્ટ્સ રિચ ફૂડ ખાઓ તો કેન્સર, હાર્ટ ડિસીઝ અને સમય પહેલાં એજિંગથી બચી શકો છો. ભીંડામાં સારાં પ્રમાણમાં ક્વર્સેટિન, કેટેચિન જેવાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે ઘણાં રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.
બોવેલ મૂવમેન્ટ સુધારે છે
ભીંડામાં લેક્સેટિવ પ્રોપર્ટી હોય છે જે બોવેલ મૂવમેન્ટ સુધારે છે. આ સિવાય ભીંડાને ડાયટમાં સામેલ કરવાથી પેપ્ટિક અલ્સર સામે પણ રક્ષણ મળે છે. ભીંડા બોડીમાંથી હાનિકારક તત્વો દૂર કરવામાં પણ મદદ કરે છે.
વિટામિન એનો સારો સોર્સ છે
ભીંડામાં સારી માત્રામાં વિટામિન એ અને ફ્લેવોનોઈડ એન્ટીઓક્સીડેન્ટ જેવા કે બીટા કેરોટીન, xanthin અને લ્યૂટેન હોય છે. જે આંખોને હેલ્ધી રાખે છે અને આંખોનું તેજ વધારે છે. આ સિવાય મોતિયાથી પણ બચાવે છે.