મધનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અનેક ચીજોમાં ગળપણ માટે પણ મધનો ઉપયોગ કરાય છે. આ સિવાય તેના અલગ અલગ રીતના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાં પણ રાહત મળે છે. મધમાં એન્ટીઓક્સીડન્ટ અને જીવાણુરોધક ગુણ જોવા મળે છે. જે હેલ્થ માટે ફાયદારૂપ છે. મધ એક પ્રાકૃતિક ગળપણનું કામ કરે છે. ખાંડની જગ્યાએ તેનો ઉપયોગ ફાયદો કરે છે.
શરદી ખાંસીથી લઈને અનેક સમસ્યામાં લાભદાયી છે મધ
મધનો આ રીતે ઉપયોગ કરે છે સ્વાસ્થ્યને લાભ
સ્કીનને લગતી સમસ્યામાં પણ કરો મધનો પ્રયોગ
શરદીના કારણે ગળામાં ખરાશ હોય તો તમે એક ચમચી મધમાં થોડો આદુનો રસ મિક્સ કરીને પીઓ. રાતના સમયે આ રસ પીવાથી ખાંસીની સમસ્યામાં રાહત મળે છે. રાતે આ રસ પીવાથી રાતે ખાંસી નહીં આવે અને તમે સારી ઊંઘ લઈ શકશો.
જે લોકોને રાતે ઊંઘ આવતી નથી તેમને માટે મધ ફાયદો કરે છે. રાતે સૂતા પહેલાં દૂધમાં મધ મિક્સ કરીને તેમાં થોડો તજનો પાવડર મિક્સ કરો. આ દૂધ પીવાથી સારી ઊંઘ આવશે અને સવારે ફ્રેશ રહેશો.
સ્કીનને માટે મધનો ઉપયોગ લાંબા સમયથી થતો આવ્યો છે. તમે ત્વચાને પ્રાકૃતિક રીતે નરમ રાખવા ઈચ્છો છો તો મધ તમારી મદદ કરશે. મધનો ફેસ માસ્ક બનાવીને તમે ઉપયોગ કરી શકો છો. તેને અઠવાડિયામાં 2 વાર સ્કીન પર લગાવો. ચહેરો ચમકવા લાગશે.
શિયાળામાં હોઠ ફાટવાની ફરિયાદ રહ્યા કરે છે. આ માટે તમે મધને હોઠ પર લગાવો. થોડો સમય રાખીને તેને સાફ કરી લો. તેનાથી હોઠ મુલાયમ રહેશે. તમે ઈચ્છો તો તેનો સ્ક્રબ બનાવીને પણ લગાવી શકો છો.