આદુ ઘરમાં રહેલી એવી ચીજ છે, જેનો ઉપયોગ કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કરવામાં આવે છે. આદુ કીમો થેરાપી, મોશન સિકનેસ તથા સર્જરીના પરિણામ સ્વરૂપ ઉબકાને રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય આદુમાં એન્ટી ઇફ્લેમેટ્રી ગુણ પણ હોય છે જે શરીરમાં આવતા સોજાને ઓછો કરે છે.
આદુના અનેક ફાયદા
વાયુ પ્રકૃત્તિ વાળા લોકો માટે છે ઉપયોગી
આદુનું સેવન કરવાથી ઘટે છે કેંસર ગ્રોથ
આદુમાં રહેલાં તત્વો હાર્ટ ડીસીસ માટે જરુરી કોલેસટ્રોલ ઘટાડે છે. આ ઉપરાંત આદુમાં રહેલું તત્વ પેંક્રિઆસમાંથી ઈંસ્યુલિનનો સ્ત્રાવ કરે છે જે બ્લડ શુગર ઘટાડે છે. આદુ ઉલ્ટી ઉબકામાં ખુબ ઉપયોગી છે.
વાયુ પ્રકૃત્તિ વાળા લોકો માટે છે ઉપયોગી
વાયુ પ્રકૃત્તિ વાળા વ્યક્તિઓ ને મુસાફરી દરમિયાન કે ચોમાસની ઋતુમાં ભોજન દરમીયાન ઉલ્ટી ઉબકા આવતાં હોય છે. આવી વ્યક્તિઓ એ આદુની નાની નાની કટકીઓ મોઢામાં રાખવાંથી ઉબકા આવશે નહી.
ગોઠણના દુ:ખાવામાં આપે છે રાહત
જો તમને ઠંડી લાગતી હોય શરદી થતી હોય અને ગોઠણમાં દુ:ખાવો થતો હોય તો તે એક ગંભીર નિશાની છે. તમને સાંધાનો દુ:ખાવો થઈ શકે છે. તેમાં આદુનું સેવન ગુણકારી છે.
આદુનું સેવન કરવાથી ઘટે છે કેંસર ગ્રોથ
આદુનું સેવન કેંસર ગ્રોથ ઘટાડે છે. જેમાં થ્રોટ કેંસર બ્રેન ટ્યુમર વગેરેનો સમાવેશ થાય છે.ફંગલ ઈંફેક્શન એ ઘણાં લોકોને સતાવતો ચામડીનો રોગ છે. મુખ્ય ત્વે તે નખમાં થઈ જાય છે. ત્યાં આદુનો રસ અક્સીર છે ત્યાં આદુનો રસ સીધો લગાવવાથી ફાયદો થાય છે.