મહિલાઓ હોય કે પુરુષો જીવનભર હેલ્ધી રહેવા માટે કેટલાક સુપરફૂડ ખાવા જરૂરી છે. એમાં પણ મહિલાઓમાં નબળાઈની સમસ્યા વધુ જોવા મળે છે. જેથી આજે અમે એક એવા ફૂડ વિશે જણાવીશું, જેના જબરદસ્ત ફાયદા છે. ચાલો જાણીએ.
બધાંએ ડાયટમાં પ્રોટીન સહિત પોષક તત્વો ખાસ લેવા જોઈએ
દૂધ, ઈંડા, નોનવેજ કરતાં વધુ પ્રોટીન હોય છે સોયાબીનમાં
મહિલાઓ માટે વરદાન સમાન છે સોયાબીન
સોયાબીન આમ તો બધાં માટે ખૂબ જ પૌષ્ટિક છે, પરંતુ ખાસ કરીને મહિલાઓ તે વરદાન સમાન છે. તેમાં દૂધ, ઈંડા, નોનવેજ કરતાં વધુ પ્રોટીન હોય છે. સોયાબીન અને તેમાંથી બનેલી વાનગીઓમાં ભરૂર માત્રામાં પ્રોટીન અને એવા ઘણાં પોષકતત્વો હોય છે જે માત્ર આરોગ્ય નહી, પરંતુ સૌંદર્ય માટે પણ મહિલાઓ માટે ફાયદાકારક છે.
સોયાબીનમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, વિટામીન ઇ, બી કોમ્પલેક્સ, થાઇમીન, રાઇબોફ્લેવિન એમીનો એસિડ, સેપોનિન, સાઇટોસ્ટેરોલ, ફેનોલિક એસિડ અને અન્ય કેટલાય પોષકતત્વો હોય છે જે ફાયદાકારક હોય છે.
મહિલાઓને થતી સમસ્યાઓ જેવી કે શરીરમાં સોજા, ચક્કર આવવા, કમરનો દુખાવો વગેરેમાં સોયાબીનનું સેવન કરવાથી રાહત મળે છે.
સોયાબીનમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તે ખાસ કરીને મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક છે. તે એનિમિયા અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓથી બચાવવામાં પણ લાભપ્રદ છે. શરીરમાં નબળાઈ હોય તો તે ખુબ જ અસરદાર છે.
સોયાબીન હાડકાંની હેલ્થ માટે પણ ખૂબ જલાભદાયક છે. તે હાડકાંને પોષણ આપે છે, જેના કારણે હાડકાં નબળા પડતા નથી અને હાડકાં તૂટવાનો ખતરો પણ ઓછો થાય છે. તેનુ સેવન હાડકાની મજબૂતી વધારવામાં સહાયક છે.
બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો સોયોબીન ખાવાથી કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને બ્લડપ્રેશર વધવાની સ્થિતિમાં તેનુ સેવન બ્લડપ્રેશરને નિયંત્રિત કરીને તેને વધતા રોકે છે.
ડાયાબિટીસના રોગીઓ માટે પણ તે કમાલની અસર કરે છે અને લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરીને તેને વધતા રોકે છે. આ રીતે તમારો ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
સોયાબીનમાં રહેલું ફોસ્ફરસ માનસિક સંતુલન ઠીક કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. દિલની બિમારીઓને દુર કરવા માટે સોયાબીનનો ઉપયોગ કરવો સારી બાબત છે. ડોક્ટર હાર્ટના પેશન્ટને પણ સોયાબીન ખાવાની સલાહ આપે છે.
વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ સોયાબીન ફાયદાકારક છે. તેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે.
તમે રોજ રાતે 10 દાણા સોયાબીનના પલાળીને સવારે ખાઈ શકો છો અથવા તેનું શાક બનાવીને કે બોઈલ કરીને તેનું સલાડ બનાવીને પણ સેવન કરી શકો છો. તમે અનેક વાનગીઓમાં સોયાબીનનો ઉપયોગ કરી શકો છો.
આ લોકોએ સોયાબીન ન ખાવા
સ્તનપાન કરાવતી મહિલાઓ, દૂધની એલર્જી હોય એવા લોકોએ, થાઈરોઈડ, કિડની સંબંધી તકલીફો, ડાયાબિટીસ જેવા રોગોમાં સોયાબીનનું સેવન કરવાથી બચવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ બાદ તેનું સેવન કરવું જોઈએ.