ઠંડીની સીઝનનું એક ખાસ અને ખાટુ મીઠુ ફળ છે બોર. આ ફળ ખાવામાં જેટલુ સારુ લાગે છે તેના ફાયદા પણ એટલા જ છે. જો તમે ઠંડીમાં બોરનું સેવન કરતા હો તો આ મોસમમાં થતી આરોગ્યની સમસ્યા અને અન્ય સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
જો તમારી ત્વચા પર કટ લાગ્યો હોય કે ઘા પડ્યો હોય બોરને ગુંદીને ઘા પર લગાવી લો. આમ કરવાથી ઘા જલ્દી ભરાઇ જાય છે અને રુઝ આવી જાય છે.
બોર ખાવાથી તમારા શરીરનો થાક દુર થાય છે અને તમને એનર્જી મળે છે
બોરના પાનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ક્લોરિન પ્રચુર માત્રામાં હોય છે. જો તમે બોર અને લીમડાના પાન પીસીને માથામાં લગાવશો તો તમારા વાળ ખરવાનું પ્રમાણ ઘટશે.
બોરનો જ્યુસ પીવાથી તાવ અને ફેફસા સંબંધિત રોગ દુર થશે.
બોર પર મીઠું અને મરી લગાવીને ખાવાથી અપચાની સમસ્યા દુર થાય છે
સુકાયેલા બોર ખાવાથી કબજિયાત અને પેટ સંબંધિત પરેશાનીઓ દુર થાય છે.
જો તમે બોર તેની છાલ સાથે ખાશો તો ગભરામણ, ઉલ્ટી અને પેટના દુખાવામાં રાહત થશ
નિયમિત બોર ખાવાથી અસ્થમાના રોગીઓને પણ આરામ મળે છે અને સાથે કોઇને પેઢામાં દુખાવો થતો હોય તો તે પણ દુર થાય છે.
આયુર્વેદ અનુસાર બોર હ્રદય માટે પણ ફાયદાકારક છે. બોર ખાવાથી વારંવાર તરસ લાગવાની ફરિયાદ રહેતી નથી.
બોરને સુકવીને અને બારીક પીસીને બનાવાયેલુ ચુરણ વારંવાર તરસ લાગવાની ફરિયાદ દુર કરે છે
બોરને છાશ સાથે ખાવાથી ગભરામણ, ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા દુર થાય છે.
બોર ઇમ્યુનિટી પાવર વધારે છે. માત્ર શિયાળામાં મળતા બોર આ સીઝનમાં ખુબ ખાઇ લેવા જોઇએ. તેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. શિયાળામા તમે વારંવાર બિમાર પડતા નથી
બોરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી તે હાડકાને પણ સ્વસ્થ રાખે છે. વજનને પણ નિયંત્રણમાં રાખે છે.