આજકાલ માર્કેટમાં સીતાફળ ભરપૂર જોવા મળી રહ્યા છે. વિટામીનોથી ભરપૂર આ ફળ હેલ્થ માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. પાણીની ઊણપ, બીપીની તકલીફ અને હિમોગ્લોબીનની ઊણપને વધારવા માટે લાભદાયી ગણાય છે.
વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે સીતાફળ
અનેક સમસ્યાઓમાં છે રામબાણ ઈલાજ
શરીરને સ્વસ્થ રાખવામાં કામનું છે સીતાફળ
સીતાફળમાંથી વિટામીન એ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ વધારે પ્રમાણમાં મળે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ હાર્ટ માટે સારું ગણવામાં આવે છે. મેગ્નેશ્યિમ પાણીની ઊણપને દૂર કરે છે. ફાઈબરથી શરીરનું બીપી નોર્મલ રહે છે. વિટામીન અને આયર્ન લોહીની ઊણપને ઓછી કરે છે અને હિમોગ્લોબીન વધારે છે.
જાણી લો સીતાફળના ફાયદા
કબજિયાત કરે છે દૂર
સીતાફળનું કોપર અને ફાઈબર મળને નરમ કરે છે અને કબજિયાતની તકલીફને મટાડે છે. તે પાચનતંત્રને પણ મજબૂત કરે છે.
પ્રેગનન્સીમાં લાભદાયી
ગર્ભવતી મહિલાઓ માટે સીતાફળ લાભદાયી છે. તે નબળાઈ દૂર કરે છે અને ઉલટી અને જીવ ગભરાવવાની સમસ્યાને દૂર કરે છે. શિશુના જન્મ બાદ સીતાફળ ખાવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થાય છે. સવારના થાકમાં પણ રાહત મળી રહે છે.
વજન વધારવાની સાથે નબળાઈ કરશે દૂર
તમે નબળા હોવ કે તમારે વજન વધારવું હોય તો સીતાફળ ખાવું લાભદાયી છે. તેમાં સાકરનું પ્રમાણ વધારે હોય છે. કોઈ પણ નુકસાન વિના તે વજન વધારે છે. નિયમિત સેવનથી ચોટી ગયેલા ગાલ ફૂલાઈ જાય છે અને વ્યક્તિને યોગ્ય શેપ મળે છે. તેના ચહેરા પર પણ નિખાર જોવા મળે છે.
દાંત અને પેઢાને કરે છે મજબૂત
સીતાફળની છાલમાંનું ટેનિન દાંત અને પેઢાને લાભ આપે છે. તેનું કેલ્શિયમ દાંતને મજબૂત બનાવે છે અને છાલને ઝીણી વાટીને મંજન કરવાથી પેઢા અને દાંતના દુખાવામાં લાભ મળે છે. સાથે જ મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે.
આંખો માટે છે લાભદાયી
સીતાફળમાં વિટામીન એ અને સી તથા રાઈબોફ્લેવીન વધારે પ્રમાણમાં હોય છે. તે આંખોની શક્તિને વધારે છે અને તેને અનેક રોગોથી બચાવે છે. રોજ 1 સીતાફળ ખાવાથી આંખો સારી રહે છે.
માનસિક શાંતિ મળે, ડીપ્રેશન કરે દૂર
કાચા સીતાફળનો આઈસ્ક્રીમ ખાવાથી ઝાડામાં રાહત મળે છે. આ ઉપરાંત સીતાફળનું સેવન કરવાથી માનસિક શાંતિ મળે છે અને સાથે ડીપ્રેશનમાં રાહત મળે છે.