જીરુંના સ્વાસ્થ્ય ફાયદા વિશે તો તમામ લોકો જાણકાર જ હોય છે પરંતુ શું તમે જાણો છો જીરુંની ચાના ફાયદાઓ વિશે? જી હા જીરુંની ચામાંથી વજન ઘટાડવા કેન્સર સામે રક્ષણ આપવા ઇમ્યુનિટી પાવર વધારવા સહિત ઘણા ફાયદા મળે છે.
આર્યુવેદમાં પણ જીરુંની ચા પીવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદા થાય છે તો જાણો જીરુંની ચા બનાવવની રીત અને તેના ફાયદાઓ વિશે...
જીરુંની ચા બનાવવાની સામગ્રી અને રીત:
સામગ્રી:
- 1 ટેબલસ્પૂન જીરું
- 250 મીલી પાણી
રીત:
એક વાસણમાં એક ટેબલસ્પૂન જીરું લઈ ધીમા ગેસ પર 5 સેકન્ડ સુધી શેકો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી 5 મિનિટ પડ્યું રહેવા દો. ત્યારબાદ કપમાં ગાળી મજા લો જીરું ચાની. તમે સ્વાદ પ્રમાણે અંદર મીઠું અને મધ ઉમેરી શકો છો.
જીરુંની ચામાંથી મળતા 10 ફાયદા
- વજન ઓછું કરશે: જીરુંની ચા પીવાથી શરીરમાં ચરબી ઓછી જામે છે. જેથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.
- હાર્ટ પ્રોબ્લેમ: જીરુંની ચા પીવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે જેનાથી હાર્ટ પ્રોબલેમથી બચાવ થાય છે.
- ડાઈજેશન : જીરુંની ચામાં રહેલા થાયમોલથી ડાઈજેશન સુધરે છે અને કબજિયાતની ઓછી થાય છે.
- કેન્સર: જીરુંની ચામાં ક્યુમિનએલડીહાઈડ હોય છે જે કેન્સર સામે બચાવવામાં મદદ કરે છે.
- એનર્જી: જીરુંની પીવાથી ઇલેક્ટ્રોલાઈટ્સ બેલેન્સ રહે છે અને એનર્જી જળવાઈ રહે છે.
- તાવ-શરદી: જીરુંની ચામાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે જે તાવ-શરદી થવાથી બચાવે છે.
- બીમારીઓથી બચાવ: જીરુંની ચા પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે અને બીમારીઓથી બચાવે છે.
- એનીમિયા: જીરુંની ચામાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે જે એનીમિયા (લોહીની ઉણપ) થી બચાવે છે.
- બ્રેન પાવર: જીરુંની ચામાં વિટામીન B6 હોય છે જે બ્રેન પાવર વધારવામાં મદદ કરે છે. તે પીવાથી મેમરી તેજ થાય છે.