શિમલા મિર્ચ દરેક સિઝનમાં મળી આવતી સબજી છે. તે મુખ્ય રીતે લાલ, પીળા અને લીલા રંગમાં મળે છે.
તેમાં વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી વજન પણ કન્ટ્રોલમાં રહે છે અને થાક તેમજ નબળાઇ દૂર થાય છે. તેમાં આયર્ન અને એન્ટી ઓક્સિડન્ટના ગુણો હોવાથી લોહીની કમી દૂર થવાની સાથે કેન્સર જેવી ગંભીર બીમારીથી પણ બચાવે છે. તેમે તેને શાક, સલાડ, નુડલ્સ, સેન્ડવિચમાં મિક્સ કરીને ખાઇ શકો છો.
ડાયાબિટીસ
શિમલા મિર્ચમાં ફાઇબર, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓએ તેને પોતાના ખોરાકમાં જરૂર સામેલ કરવાં જોઇએ. તેનાથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહેવામાં મદદ મળે છે.
કેન્સરથી બચાવ
શિમલા મિર્ચમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી કેન્સર ગુણો હોય છે. આવા સંજોગોમાં તેનું સેવન કરવાથી તે શરીરમાં કેન્સર કોશિકાઓ બનતા રોકે છે. આવા સંજોગોમાં કેન્સરનો ખતરો ઓછો રહે છે.
હ્રદય રાખે સ્વસ્થ
પોષક તત્ત્વથી ભરપુર શિમલા મિર્ચનું સેવન કરવાથી આખા શરીરમાં ઓક્સિજનની માત્રા યોગ્ય રીતે પહોંચે છે. સાથે સાથે હ્રદયને બહેતર રીતે કામ કરવામાં પણ મદદ મળે છે. હાર્ટ પંપિંગને પણ યોગ્ય બનાવે છે. હાર્ટ એટેકનો ખતરો ઘટે છે.
હાડકાં કરે મજબુત
કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સીથી ભરપુર શિમલા મિર્ચ માંસપેશીઓ અને હાડકાં મજબૂત બનાવે છે. તેના સેવનથી સાંધા અે શરીરના અન્ય ભાગમાં દુખાવાની પરેશાનીમાં રાહત મળે છે.
વજન ઘટાડે
જે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે સલાડમાં શિમલા મિર્ચ સામેલ કરવાં જોઇએ. તેમાં કેલરીની માત્રા ઓછી હોવાથી વજન કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તેનાથી શરીરમાં એનર્જી આવે છે.