શિમલા મરચાં એટલે કે કેપ્સિકમ ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે અને રોગો દૂર રહે છે. ચાલો જાણીએ.
કેપ્સિકમમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય
કેપ્સિકમ ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે
સ્થૂળતાની સમસ્યામાં શિમલા મરચાં ખાવાથી લાભ થાય છે
કેપ્સિકમમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. આ સિવાય તેમાં વિટામિન બી6, વિટામિન એ, ફોલેટ, ફાયબર, પોટેશિયમ, વિટામિન કે અને એ જેવાં ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. આમાં કેલરી નહીવત્ હોય છે. સ્થૂળતાની સમસ્યામાં શિમલા મરચાં ખાવાથી લાભ થાય છે. આમાં કોલેસ્ટ્રોલ નહીવત્ હોય છે. જેથી તે હાર્ટ માટે હેલ્ધી માનવામાં આવે છે. સાથે જ તેમાંથી વિટામિન્સ અને બીટા કેરોટીન મળી રહે છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં લાભકારી છે. તો આજે જાણી લો રોજની ડાયટમાં શિમલા મરચાંને સામેલ કરવાથી કેવા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે.
હૃદય માટે ફાયદાકારક
કેપ્સિકમમાં જે ફ્લેવોનોઈડ્સ હૃદયની સમસ્યાઓને દૂર કરે છે. તેનાથી શરીરમાં ઓક્સિજનનું સપ્લાઈ સારી રીતે થાય છે. કેપ્સિકમ ખાવાથી હાર્ટ પંપિંગમાં સમસ્યા નથી થતી.
રોગ પ્રતિકારક શક્તિ
કેપ્સિકમ ખાવાથી વિટામિન સી શરીરમાં વધે છે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ ઉપરાંત તેનાથી સ્ટ્રેસ ઘટે છે, અસ્થમા તેમજ કેન્સરમાં પણ રક્ષણ મળે છે.
આયર્નની કમી દૂર કરે છે
કેપ્સિકમ ખાવાથી શરીરમાં આયર્નની કમી રહેતી નથી. તેમાં રહેલા વિટામિન અને પોષક તત્વો શરીરને એનીમિક થવા દેતા નથી.
વજન ઘટાડે છે
કેપ્સિકમથી વજન પણ ઘટે છે. તેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે જેના કારણે વજન વધવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત તેનાથી મેટાબોલિઝમ પણ બૂસ્ટ થાય છે.
સ્કિનને હેલ્ધી રાખે છે
કેપ્સિકમનું સેવન ત્વચાને સાફ રાખવામાં મદદ કરે છે. તે ચહેરા પરના પિમ્પલ્સને થતાં રોકે છે. કેપ્સિકમમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે સારું છે અને આંખોના રોગોને રોકવામાં મદદ કરે છે.