ભારતીય મસાલાઓ જ્યાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમાલપત્ર એક બેસ્ટ ઔષધી છે. ચાલો જાણીએ ફાયદા.
શ્રેષ્ઠ ઔષધી છે તમાલપત્ર
મોટાભાગના લોકો તમાલપત્રના આવા ફાયદા જાણતા નથી
અનેક સમસ્યાઓમાં રામબાણનું કામ કરે છે આ મસાલો
તમાલપત્રના ગુણધર્મો અને લાભ
તમાલપત્રની સુંગંધ તીવ્ર અને સ્વાદ કડવો હોય છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ ઔષધીય ગુણોની ખાણ છે.
તમાલપત્રમાં સારાં પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાંથી વિટામિન સી, ફોલિક એસિડ, વિટામિન એ, નિયાસિન, રીબોફ્લેવિન, એન્ટીઓક્સીડેન્ડ, એન્ટીસેપ્ટીક, આયર્ન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝિંક જેવા અઢળક પોષક તત્વો મળે છે.
તમાલપત્ર મધુર, ગરમ, તીક્ષ્ણ, ઉત્તેજક,વાતહર અને પચવામાં હળવું હોય છે. એ કફ, વાયુ, હરસ, ઊલટી-ઉબકા, અરુચિ અને સળેખમ મટાડે છે. એ સર્વ પ્રકારના કફરોગો, અજીર્ણ, અપચો, પેટનો દુઃખાવો, અવાર-નવાર થતાં ઝાડા વગેરે પાચનતંત્રના રોગોમાં ફાયદાકારક છે.
તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.
જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.
તમાલપત્રનો ઉપયોગ મગજને તેજ કરવામાં પણ થાય છે. તમને જણાવી દઇએ કે એનાથી યાદશક્તિ વધે છે. કંઇપણ યાદ કરવામાં મુશ્કેલી પડતી નથી. તેનો ભોજનમાં દરરોજ ઉપયોગ કરવો જોઇએ. તેને ખાવાથી અલ્ઝાઇમર જેવી મગજથી જોડાયેલી બિમારીઓ થવાની શક્યતા ઘટી જાય છે.
તમે તમાલપત્રની ચા પણ રોજ પી શકો છો. તેનાથી પણ વધુ મેળવી શકાય છે. તેના માટે 1 કપ પાણીમાં 3 તમાલપત્ર નાંખી થોડું ઉકાળી પાણી ગાળી લો પછી તેમાં 1 લીંબનો રસ મિક્સ કરીને પી લો. આ ચા પીવાથી તમને રિલેક્સ ફીલ થશે. પાચન સુધરશે.
તમાલપત્રનું સેવન શરીરમાંથી બેડ કોસેસ્ટ્રોલને દૂર કરે છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ મસાલો ઔષધી સમાન કામ કરે છે.
તમાલપત્રને સળગાવી રૂમમાં ધૂમાડો કરવાથી માખી, મચ્છર અને જીવડાઓ દૂર થાય છે.