યોગ બાદ હવે ભારત સરકાર દેશી ઘીને સમગ્ર દુનિયામાં ઓળખ આપવામાં વ્યસ્ત છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ ઓલિવ ઓઈલની દુનિયાભરમાં સ્વીકાર્યતા છે, પરંતુ હવે દેશી ઘીને ઓલિવ ઓઈલનો વિકલ્પ બનાવીને તેને વૈશ્વિક ઓળખ આપવામાં આવશે.
દેશી ઘીને સમગ્ર દુનિયામાં અપાશે ઓળખ
યોગ પછી દેશી ઘીનું બ્રાન્ડિંગ કરવામાં આવશે
ઓલિવ ઓઈલ કરતાં વધુ હેલ્ધી છે દેશી ઘી
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયના સચિવ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે યોગની જેમ દેશી ઘીનું પણ બ્રાન્ડિંગ કરવાની જરૂર છે. ભોજન બનાવવામાં દેશી ઘી દુનિયાનું એકમાત્ર એવું માધ્યમ છે, જેનો એકથી વધુ વાર ઉપયોગ કરવાથી કોઇ નુકસાન થતું નથી અને આ સંજોગોમાં દેશી ઘી ઓલિવ ઓઈલની તુલનાએ વધુ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે છે.
ઓલિવ ઓઈલ કરતાં વધુ હેલ્ધી છે દેશી ઘી
અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ઓલિવ ઓઇલ કરતાં દેશી ઘી વધુ સારું છે અને તેથી તેનું બ્રાન્ડિંગ કરવું જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર જે રીતે યોગનું બ્રાન્ડિંગ કરાયું છે તે રીતે દેશી ઘીનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. દુનિયાભરમાં દેશી ઘી સારી પ્રોડક્ટ બની શકે છે અને દેશી ઘીની નિકાસ કરવાની પણ તક મળશે.
દેશી ઘીના ફાયદા
માઈગ્રેનના દર્દીઓ માટે દેશી ઘી રામબાણની જેમ કામ છે. તેના ટીપાં નાકમાં નાખવાથી દુખાવો અને એલર્જી દૂર થાય છે. ડાયટમાં દેશી ઘી સામેલ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.
ઘણાં લોકોમાં એવી માન્યતા છે કે ઘી ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે. પરંતુ જો સીમિત માત્રામાં શુદ્ધ ઘીનું સેવન કરવામાં આવે તો તેનાથી વજન અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ સતાવતી હોય છે એવા લોકો માટે પણ ઘી ફાયદાકારક છે. ડેઈલી ડાયટમાં ઘણી ખાવાથી પાચન અને આંતરડા સંબંધી રોગો સામે રક્ષણ મળે છે.
દેશી ઘીમાંથી ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ મળી રહે છે. જેથી તેને ડાયટમાં સામેલ કરવાથી ચહેરાની ચમક વધે છે અને સ્કિન હેલ્ધી અને મુલાયમ પણ રહે છે.
દેશી ઘીમાં એન્ટીકેન્સર અને એન્ટીવાયરલ જેવા તત્વ રહેલાં હોય છે. જેથી તે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે અને ઈમ્યૂનિટી પાવર પણ વધારે છે. ડાયટમાં દેશી ઘીને સામેલ કરવાથી કેન્સર જેવા રોગો સામેલ લડવામાં મદદ મળે છે.