લાંબા સમયથી થાઈરોઈડથી પરેશાન લોકો જો ઘરેલૂ ઈલાજ કરી લે તો તેમને જડમૂળથી આ રોગ ખતમ થઈ શકે છે. જો તમને દવાઓ પણ અસર નથી કરી રહી તો તમે એક રામબાણ ઉપાય અજમાવી શકો છો. થાઈરોઈડ બટરફ્લાયના આકારનું ગળામાં રહેલું શરીરનું મેન એન્ડોક્રાઈન ગ્લેન્ડ છે. તેમાં થાઈરોઈડ હોર્મોન રીલીઝ થાય છે. જે આપણા મેટાબોલિઝ્મ રેટને કંટ્રોલ કરે છે. આ હોર્મોન મેટાબોલિઝ્મને જાળવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. થાઈરોઈડથી પીડિત વ્યક્તિનો વજન ઝડપથી વધવા અને ઘટવાની સાથે તેના વાળ પણ ખરવા લાગે છે. જો સમય રહેતાં તેને કંટ્રોલ ન કરવામાં આવે તો તેના કારણે શુગરની બીમારી પણ થઈ શકે છે. ચાલો જાણીએ થાઈરોઈડ માટે ડુંગળીનો એક કારગર ઉપાય જણાવીશું.
થાઈરોઈડના દર્દીઓ માટે બેસ્ટ ઘરેલૂ ઈલાજ
દવાઓથી નહીં પણ આ 1 સરળ ઉપાયથી ઝડપથી સારી થશે થાઈરોઈડની સમસ્યા
રોજ આ ઉપા કરવાથી આવી જશે કંટ્રોલમાં થાઈરોઈડ ગ્લાન્ડ
થાઈરોઈડથી બચાવે છે
ઈમ્યૂન સિસ્ટમમાં ગરબડને કારણે આ બીમારીની શરૂઆત થાય છે. જેના કારણે નાની બીમારીઓથી લઈને મોટી બીમારીઓ પણ ઘેરી લેતી હોય છે. પણ શું તમે જાણો છો કે નાનકડી લાલ ડુંગળી તમને આ બીમારીથી બચાવી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે કે ડુંગળીને મોઝામાં રખીને સૂવાથી શરીર ડિટોક્સ થાય છે અને બીમારીઓથી બચી શકાય છે પણ આ સિવાય પણ ડુંગળીના ઘણાં ફાયદા છે જેમાંથી એક છે તે થાઈરોઈડથી પણ બચાવે છે.
આ રીતે કરો ડુંગળીનો ઉપયોગ
આયુર્વેદ ડો. શિલ્પી અનુસાર, ડુંગળીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી અને કેસરથી લડવાવાળા ગુણ હોય છે. આ સિવાય તેમાંથી વિટામિન અને મિનરલ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. જે આપણાં શરીરને પોષણ આપે છે અને બીમારીઓથી પણ બચાવે છે. આ સિવાય ડુંગળીમાં સલ્ફર હોય છે. જે સોજાની સમસ્યાને દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે. ડુંગળીને ગરદનની થાઈરોઈડ ગ્લેન્ડની આસપાસ હળવા હાથે ઘસવાથી થાઈરોઈડ કંટ્રોલમાં આવી જાય છે.
શું કરવું
થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે સૌથી પહેલાં એક લાલ ડુંગળી લઈ લો. ત્યારબાદ ડુંગળીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. ત્યારબાદ ડુંગળીને થાઈરોઈડ ગ્લેન્ડની આસપાસ ક્લોક વાઈસ મસાજ કરો. મસાજ કર્યા બાદ ગરદન ધોવી નહીં. આખી રાત ડુંગળીનો રસ આ રીતે ગરદનમાં લાગેલો રહેવા દો.
નિયમિત કરો આ ઉપાય
આ રીત થોડાં દિવસ નિયમિત કરશો તો તમને ફરક દેખાવાનું શરૂ થઈ જશે. આની સાથે જ થાઈરોઈડમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં થોડું ધ્યાન રાખવાથી તેને દૂર કરવામાં મદદ મળે છે.