આપણાં ભારતીય રસોડા શાન કહેવાતા જુદા-જુદા મસાલામાં અઢળક ઔષધિય ગુણો રહેલાં છે. જો તમે તમારા રોજિંદા ખોરાકમાં આ મસાલાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો તો તમે ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો અને સાથે જ તમારી ઈમ્યૂનિટી પણ વધારી શકો છો. આ મસાલાઓમાં ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ અને બ્લડ પ્રેશર જેવા રોગોથી બચાવે છે. ચાલો જાણીએ.
રસોડાની આ 10 વસ્તુઓનો ચોક્કસથી ઉપયોગ કરજો
અઢળક ઔષધિય ગુણ રહેલાં છે રસોઈની આ વસ્તુઓમાં
રોજનાા ભોજનમાં સામે કરશો તો ગંભીર રોગો હમેશા રહેશે દૂર
મોટી એલચી
આ ડાઈયૂરેટિક છે. જે યૂરિન પ્રોબ્લેમ દૂર કરવામાં ઈફેક્ટિવ છે. આ કિડનીને હેલ્ધી રાખે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી બચાવે છે.
જીરું
આમાં વિટામિન ઈ હોય છે. જે સુંદરતા નિખારે છે. આમાં આયર્ન હોય છે. જે શરીરમાં લોહીની કમી થવા દેતું નથી.
જાયફળ
આમાં પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે. જેથી તેને ખોરાકમાં સામેલ કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આ સાંધાઓના દર્દને દૂર કરવામાં ઈફેક્ટિવ છે અને બ્રેન પાવર વધારે છે.
તમાલપત્ર
આમાં ફાયબર હોય છે. જે કબજિયાતથી બચાવે છે. આમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે દર્દથી રાહત આપે છે. આ શરદી-ખાંસી ઠીક કરવામાં પણ ઈફેક્ટિવ છે.
એલચી
એલચીમાં પોટેશિયમ, ફાયબર હોય છે. જે બીપી કંટ્રોલ કરે છે. એલચીમાં રહેલું આયર્ન એનિમિયા સામે રક્ષણ કરે છે.
હીંગ
આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે. આમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલાં છે. જે બ્રેન પાવર વધારે છે અને બોડી પેઈન દૂર કરે છે.
તજ
આ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. જેનાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. આ કોલેસ્ટ્રોલને ઓછું કરી હાર્ટ પ્રોબ્લેમ્સને દૂર રાખે છે.
કાળા મરી
આમાં વિટામિન એ, સી અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કેન્સરથી બચાવે છે. આને ખાવાથી આંખોની રોશની વધે છે. સાથે જ તે ઈમ્યૂનિટી વધારવામાં પણ ફાયદાકારક છે.
લવિંગ
આમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. જેનાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. આમાં ડાઈજેસ્ટિવ એન્જાઈમ હોય છે. જે ડાઈજેશન ઠીક રાખવામાં મદદ કરે છે.
હળદર
આ ઈન્સ્યૂલિનના લેવલને બેલેન્સ કરે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આમાં રહેલું લિપોપોલીસેકેરાઈડ્સ બોડીની ઈમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે.