કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. મોટાભાગના લોકો કારેલાનું શાક જોઇને કે શાકવાળા દુકાન કે લારી પર જોઇને મોં બગાડે છે. કારેલા ન ખાવા વિવિધ પ્રકારના બહાના કાઢે છે. કડવા કારેલાના ગુણો જાણતાં હોવા છતાં પણ તેનાથી દૂર ભાગતા હો તો આ એક કારણે તો કદાચ તમે કારેલા ખાવા જ લાગશો. આજકાલ લોકો વજન ઉતારવા માટે જાતજાતના નુસખા અપનાવે છે. ત્યારે જ કારેલાને જોઇને મોઠું બગાડો છો તે જ સૌથી ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
કારેલાનો રસ પેન્ક્રિયાઝ એટલે કે અગ્નાશયની બીટા કોશિકાઓને સુરક્ષા પૂરી પાડે છે, જે ઈંસ્યુલિનનું પ્રમાણ ઘટાડે છે. જે પિત્ત રસને વધારે છે જેથી ફેટ મેટાબોલાઇઝ થાય છે. કારેલામાં પાણી વધારે અને કેલરી ઓછી હોય છે. ખાલી પેટે કારેલાના જ્યૂસ પીવો જોઇએ અને એક કલાક સુધી કંઇ ખાવુ-પીવુ નહી. કારેલાના પોષકતત્વોનો ખજાનો છે. કારેલા એકસ્ટ્રા ફેટને બળવા માટે મદદરૂપ થાય છે.
કારેલાના જ્યૂસના ફાયદા:
- શરીરની ચરબી અથવા ચરબીવાળા ટિશ્યૂ રાસાયણિક રીતે ફેટી એસિડથી જોડાયેલી શ્રૃંખલાઓથી બનેલા હોય છે. કારેલાના જ્યૂસમાં એન્ઝાઇમ હોય છે જે ફેટન ફ્રી ફેટી એસિડમાં વિભાજિત કરે છે. જેનાથી શરીરમાંથ ચરબી ઘટવા લાગે છે.
- કારેલા અગ્નાશયી બીટા કોશિકાઓની રક્ષા કરે છે જે ઈંસ્યુલિનનો સંગ્રહ અને મુક્ત કરે છે. ઈંસ્યુલિન બ્લડમાં ગ્લૂકોઝના લેવલને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. કારેલામાં 3 સક્રિય એન્ટી ડાયાબિટકી પદાર્થ હોય છે. જેને ચારેંટિન, વિસીન અને પૉલીપેપ્ટાઈડ-પી કહેવાય છે. જે શરીરમાં ઈંસ્યુલિન પ્રતિરોધ અને ગ્લૂકોઝના સ્તરને ઘટાડે છે. ઈંસ્યુલિન ઓછુ હોય તો ગ્લૂકોઝનું સ્તર ખરાબ થાય છે અને વધારે હોય તો અચાનક ભૂખ લગાવી તેમજ વજન વધવાનું કારણ બને છે.
- કારેલાનો જ્યૂસ પિત્ત રસનો સ્ત્રાવ કરવા લીવરને ઉત્તેજિત કરે છે. જે ફેટને મેટાબાલિઝમમાં સહાયક છે. જે લોકો વધારે વજનવાળા હોય તેઓના મેટાબોલિઝમ રેટ ઓછો હોય છે. કારેલાનો જ્યૂસ AMPK નામના પ્રોટીનને સક્રિય કરે છે.
- કારેલામાં લગભગ 90% પાણી છે, જે ભૂખને દબાવવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. ટોક્સિન્સ વજન વધારવામાં સૌથી વધુ જવાબદાર હોય છે.
- 100 ગ્રામ કારેલાના રસમાં માત્ર 34 કેલેરી હોય છે. કારેલામાં રહેલા લેક્ટિન ભૂખને ઓછી કરે છે.
કેવી રીતે પીશો જ્યૂસ:
- કારેલાના જ્યૂસને હંમેશા ખાલી પેટે પીવો જોઇએ. જ્યૂસ ખૂબ જ કડવો લાગે તો મધ, ગાજર કે સફરજનનો જ્યૂસ ઉમેરી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ સરફરજનના રસ સાથે પીવો જોઇએ. આ જ્યૂસ પીધાના 1 કલાક સુધી કંઇ ખાવાપીવાનુ ટાળવુ. સાથે જ દરરોજ 30 મિનિટ કસરત અને ડાયટ કંટ્રોલ કરવાથી વધુ સારું પરિણામ મળશે.