દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, ઝિંક, કોપર, મેગનીઝ, ફોલિક, પ્રોટીન, ફોસ્ફરસ, ફાયબર, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. નિયમિત નાસ્તામાં 50 ગ્રામ (1 મુઠ્ઠી) ચણા રાતે પલાળી સવારે ખાવાથી શરીરને રોગો સામે રક્ષણ મળે છે. આ શરીર માટે ટોનિકનું કામ કરે છે. આ સિવાય તમે ફણગાવેલાં ચણા પણ ખાઈને અઢળક ફાયદા મેળવી શકો છો. ચાલો જાણીએ પલાળેલા ચણા ખાવાના ફાયદા.
શરીરને તાકાત આપે છે કાળા ચણા
રોગો સામે લડવાની શક્તિ વધારે છે
વજન ઘટાડવામાં પણ મદદરૂપ
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બનાવે છે
રોજ 1 મુઠ્ઠી પલાળેલા કાળા ચણા ખાઈ લેવાથી બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. તેમાં રહેલાં વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન શરીરને જરૂરી પોષક તત્વો આપે છે.
વજન ઘટાડશે ડબલ સ્પીડે
રોજ ભૂલ્યા વિના પલાળેલા ચણા ખાઈ લેશો તો તેનાથી તમારી ભૂખ કંટ્રોલમાં રહેશે, ઓવરઈટિંગ નહીં થાય, મેટાબોલિઝ્લ તેજ થશે. જેનાથી વજન ઘટાડવામાં મદદ મળશે.
ડાયાબિટીસ
શુગરના દર્દીઓએ પલાળેલા ચણાનું અવશ્ય સેવન કરવું જોઈએ. આ ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. બ્લડમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ 25 ગ્રામ પલાળેલા ચણાનું સેવન કરવું.
પેટની સમસ્યાઓ દૂર કરે છે
રોજ કાળા ચણા ખાઈ લેવાથી પેટ સંબંધી રોગો દૂર થાય છે. તેનાથી અપચો, કબજિયાત, ગેસ વગેરેમાં રાહત રહે છે. સાથે જ તમે પલાળેલા ચણામાં લીંબુનો રસ, આદુનો રસ, મીઠું અને કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પણ ખાઈ શકો છો. આને ખાવાથી શરીરને એનર્જી મળે છે.
લોહીને સાફ રાખે છે
રોજ પલાળેલા ચણા ખાઈ લેવાથી લોહી શુદ્ધ રહે છે. જેનાથી સ્કિન ગ્લો કરે છે અને વાળ પણ હેલ્ધી રહે છે. લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરવામાં પણ કાળા ચણાનું સેવન મદદ કરે છે.