કેળા આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી અને સારાં છે આ વાત તો બધાં જાણે જ છે. પરંતુ શું તમે જાણો છો કે આપણે જે કેળા ખાઈને તેની છાલ ફેંકી દઈએ છીએ તે પણ અનેક રીતે લાભકારી અને કામની છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે
કેળાની છાલ પણ ઘણી રીતે ફાયદાકારી છે
કેળાની છાલના ઉપાયો કરીને તમે તમારી સમસ્યા દૂર કરી શકો છો
સ્કિનનો ગ્લો વધશે
ઈંડાની જરદીમાં કેળીની છાલનો અંદર ભાર લઈને તેને પીસીને પેસ્ટ બનાવી મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ ફેસવોશ કરી લો. આ ઉપાયથી તમારી સ્કિન સુંવાડી બનશે. રંગ નિખરશે અને સ્કિનનો ગ્લો પણ વધશે.
કરચલીઓ દૂર થશે
કેળાની છાલની અંદરના ભાગને ચહેરા પર હળવા હાથે 10 મિનિટ ઘસો. આ ઉપાય સપ્તાહમાં 2-3 વાર કરવાથી કરચલીઓ દૂર થાય છે અને ખીલ પણ મટે છે.
થાક દૂર કરવા
આંખનો થાક દૂર કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કાકડીના ટુકડાની જેમ કરી શકાય છે. તમે કેળાની છાલના ટુકડા કરીને તેને આંખ પર 10 મિનિટ રાખો. તેનો ઉપયોગ કરતા પહેલાં તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખો.
દુખાવા માટે
કેળાની છાલ પર સરસિયાનું તેલ લગાવીને તેને લગાવવાથી પગમાં દુ:ખાવો દૂર કરી શકાય છે. આ માટે કેળાની છાલને ગરમ કરો અને તેને કપડાની મદદથી દુખાવાવાળી જગ્યાએ બાંધી દો. આનાથી આરામ મળશે.
સ્કિન પ્રોબ્લેમ્સ
જે લોકોને સ્કિનમાં ખંજવાળ, ઈરિટેશન થતી હોય તેમણે કેળાની છાલનો ઉપાય કરવો. તેના માટે કેળાની છાલના અંદરના ભાગથી જે તે જગ્યા પર મસાજ કરવું અને પછી 15 મિનિટ બાદ ધોઈ લેવું. આ ઉપાયથી તરત જ આરામ થશે.
ઈન્સેક્ટ બાઈટમાં રાહત
જો તમને કોઈ જીવ જંતુએ કરડી લીધું હોય થોડીવાર એ જગ્યા પર કેળાની છાલના અંદર ભાગથી રાખવાથી દર્દ અને બળતરામાં આરામ મળે છે.
મસાને દૂર કરે છે
રાતે સૂતા પહેલાં કેળાની છાલના અંદરના ભાગને મસા પર રાખી ઉપર બેન્ડેજ લગાવી દો અને સવારે કાઢી દો. આવું રોજ રાતે કરવાથી મસા દૂર થઈ જશે.
દાંત ચમકાવે છે
કેળાની છાલના અંદરના ભાગને દાંત પર ઘસવાથી દાંત સફેદ અને ચમકીલા થાય છે.