PM મોદીએ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી ત્યાર બાદ તેના CEOએ જણાવ્યું હતું કે તેઓ સૌ PM મોદીનું વેક્સિન અંગેનું જ્ઞાન જાણીને ચકિત થઇ ગયા.
તેમણે કહ્યું કે PM મોદી રસી અને રસીના ઉત્પાદન અંગે ઘણું જ્ઞાન ધરાવે છે.
કોવિશિલ્ડનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલુ
નોંધનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે AztraZennca અને Oxfordની કોરોનાની રસી કોવિશિલ્ડનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પુનાવાલાએ કહ્યું કે તેમણે PM મોદી સાથે વિસ્તારમાં ચર્ચા કરી.
"અમે પુણેમાં મહામારી સામે લડવા માટે સૌથી મોટી ફેસિલિટી ઉભી કરી છે અને બીજા કેમ્પસનું નિર્માણ મંડરીમાં છે. અમારી ફેસિલિટીની એક ટૂર અમે PM મોદીને કરાવી જ્યાં અમે રસી બાબતે ઊંડાણથી ચર્ચા કરી. PM મોદીનું રસી અને રસીના ઉત્પાદન અંગેનું નોલેજ જાણીને અમે ચકિત થઇ ગયા. અમે હાલની રસીઓના ફાયદા ગેરફાયદાની પણ ચર્ચા કરી."
નોંધનીય છે કે PM મોદીએ હાલ અમદાવાદ સહિત પુના અને હૈદરાબાદની મુલાકાત લઇને રસી અંગેના ડેવલપમેન્ટ વિષે જાણ્યું હતું.