કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે BPRD ના 51 માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જો દેશમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોય તો લોકશાહી સફળ થઈ શકતી નથી.
જો દેશમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોય તો લોકશાહી સફળ થઈ શકતી નથી.
આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી આગામી દાયકો ખૂબ મહત્વનો બનવાનો છે
છેલ્લા 2 વર્ષમાં 3,700 વધુ ઉગ્રવાદીઓએ આત્મ સમપર્ણ કર્યુ
બીટ કોન્સ્ટેબલએ સૌથી મહત્વની વ્યક્તિ છે જે લોકશાહીને સફળ બનાવે છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું હતું કે પોલીસ તંત્રમાં સૌથી નીચલા સ્તરે તૈનાત 'બીટ કોન્સ્ટેબલ' એ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે જે લોકશાહીને સફળ બનાવે છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD)ના 51 માં સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું હતું કે જો દેશમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય ન હોય તો લોકશાહી સફળ થઈ શકતી નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, પોલીસ અધિકાર ક્ષેત્ર હેઠળના સૌથી નાના એકમના ઇન્ચાર્જ 'બીટ કોન્સ્ટેબલ' લોકશાહીને સફળ બનાવનાર સૌથી અગ્રણી અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે.
છેલ્લા 2 વર્ષમાં 3,700 વધુ ઉગ્રવાદીઓએ આત્મ સમપર્ણ કર્યુ
વિવિધ કેન્દ્રીય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ દળોના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરિક સુરક્ષાના દૃષ્ટિકોણથી આગામી દાયકો ખૂબ મહત્વનો બનવાનો છે.કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક મજબૂત દેશ અને અર્થતંત્ર બનવા માટે લાંબી છલાંગ ભરવા જઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, છેલ્લા 2 વર્ષમાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના ઓછામાં ઓછા 3,700 સભ્યોએ સરકાર સમક્ષ આત્મ સમર્પણ કર્યું છે. શાહે કહ્યું કે શનિવારે સાંજે કાર્બી આંગલોંગના એક જૂથ સાથે કરાર પણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ BPRDને પોલીસ દળોને અદ્યતન અને મજબૂત એકમ બનાવવા માટે પણ કહ્યું.