બ્રધર્સ કીપર્સ જૂથના સભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો જ્યારે તે રાત્રિભોજન અને નૃત્ય કર્યા પછી હોલમાંથી બહાર નીકળી રહ્યો હતો. એટલું જ નહીં હુમલાખોરોએ ગેંગસ્ટરના વાહનને પણ આગ લગાવી દીધી હતી.
કેનેડિયન પોલીસના સૌથી હિંસક ગુનેગારોની યાદીમાં સામેલ હતો
આ મામલો કથિત રીતે ગેંગ વોરનો હોવાનું માનવામાં આવે છે
પંજાબી મૂળના ગેંગસ્ટર અમરપ્રીતની કેનેડાના વાનકુવરમાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલ છે કે તે કેનેડિયન પોલીસના સૌથી હિંસક ગુનેગારોની યાદીમાં સામેલ હતો. આ મામલો કથિત રીતે ગેંગ વોરનો હોવાનું માનવામાં આવે છે. લગ્ન સમારોહ દરમિયાન અમરપ્રીત સિંહની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
બ્રધર્સ કીપર્સ જૂથના સભ્યોએ તેમના પર હુમલો કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમરપ્રીત સમરા ઉર્ફે ચક્કી ફ્રેઝરવ્યૂ બેન્ક્વેટ હોલમાં ડાન્સ ફ્લોર પર હતો. તેની સાથે ગેંગસ્ટર ભાઈ રવિન્દ્રને પણ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને યુએન ગેંગ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે. લગ્નમાં હાજર મહેમાનોએ મીડિયાને જણાવ્યું કે કેટલાક અજાણ્યા લોકો આવ્યા અને ડીજે વગાડવાનું બંધ કરવા કહ્યું. તે દરમિયાન લગ્નમાં 60 જેટલા મહેમાનો હાજર હતા. અન્ય અહેવાલ મુજબ,બ્રધર્સ કીપર્સ જૂથના સભ્યોએ તેમના પર હુમલો કર્યો હતો જ્યારે તે રાત્રિભોજન અને નૃત્ય કર્યા પછી હોલમાંથી બહાર નીકળી રહ્યો હતો. એટલું જ નહીં હુમલાખોરોએ ગેંગસ્ટરના વાહનને પણ આગ લગાવી દીધી હતી.
પોલીસ દ્વારા 11 લોકો અંગે ચેતવણી જાહેર કરાઈ
વાનકુવર પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, "મલ્ટીપલ 911 કોલર્સે જાણ કરી હતી કે ફ્રેઝર સ્ટ્રીટ અને સાઉથ ઈસ્ટ મરીન ડ્રાઈવ નજીક લગભગ 1:30 વાગ્યે દક્ષિણ વેનકુવર બેન્ક્વેટ હોલની બહાર એક વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. પેટ્રોલિંગ અધિકારીઓએ પીડિતને સીપીઆર આપ્યો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. તપાસ સાથે સંકળાયેલી પોલીસનું માનવું છે કે આ અલગ-અલગ ગેંગ વચ્ચે ચાલી રહેલા ઝઘડાનું પરિણામ છે. ઓગસ્ટ 2022માં જ કેનેડિયન પોલીસ દ્વારા 11 લોકો અંગે ચેતવણી જારી કરવામાં આવી હતી. પોલીસે સામાન્ય લોકોને આ લોકોની આસપાસ જવાની મનાઈ પણ કરી હતી. આ 11 લોકોમાંથી 9 પંજાબના હતા. અમરપ્રીત અને તેનો ભાઈ રવિન્દ્ર પણ આ યાદીમાં સામેલ છે.