જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જારી કરી છે. અમરનાથ યાત્રાને ટૂંકાવવા અંગે પણ સરકારે નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, સરકારે ધીમે ધીમે કશ્મીરમાં સેનાની સંખ્યા વધારી છે. પહેલા 10 હજાર વધારાના સૈનિકોને તૈનાત કર્યા બાદ વધુ 26 હજાર સૈનિકોને કશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. આખરે શું છે આ મામલો અને કેમ આ પ્રકારની હલચલ વધી ગઈ છે જાણો Analysis with Isudan Gadhvi માં...