હવે ઓનલાઈન પ્રોસેસની મદદથી 48 કલાકમાં પોસ્ટની મદદથી ભક્તોને બાબા બર્ફાનીનો પ્રસાદ ઘરે જ મળી જશે.
નહીં રહે બાબા બર્ફાનીના દર્શન ન કર્યાનો રંજ
આ રીતે કરી શકાશે પૂજા
ઓનલાઈન પ્રોસેસની મદદથી ચઢાવી શકાશે પ્રસાદ
કોરોનાના કારણે આ વખતે પણ અમરનાથની યાત્રા કેન્સલ કરાઈ છે. અહીં લાખો લોકોને બાબા બર્ફાનીના દર્શન ન કર્યાનો રંજ રહે છે. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે લાઈવ દર્શન અને આરતી માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે ભક્તોના ઘરે પણ પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા છે. મંગળવારે શ્રાઈન બોર્ડની ઓનલાઈન સેવાનો શુભારંભ કરાયો છે.
ઓનલાઈન બુક કરી શકાશે પૂજા, હવન અને પ્રસાદ સેવા
કોરોનાના કારણે બાબા બર્ફાનીની પવિત્ર ગુફાના દર્શનમાં અસમર્થ ભક્તોને માટે શ્રાઈન બોર્ડ વર્ચ્યુઅસ મોડમાં દર્શન, હવન અને પ્રસાદની સુવિધા આપી રહ્યું છે. ભક્ત પૂજા, હવન અને પ્રસાદ ઓનલાઈન બુક કરાવી શકે છે. પૂજારી એ ભક્તના નામે પ્રસાદ ચઢાવશે અને પ્રસાદ ભક્તોના ઘરે પહોંચાડવામાં આવશે. શ્રાઈન બોર્ડની આ નવી સુવિધાના કારણે ભગવાન શિવને દુનિયાભરના ભક્તોને પવિત્ર ગુફામાં ઓનલાઈન આભાસી પૂજા અને હવન કરાવી શકાશે. તેઓ માટે ઓનલાઈન પ્રસાદ બુકિંગ સેવા પણ ચાલુ કરી દેવામાં આવી છે. બોર્ડના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું છે કે અમે 48 કલાકમાં પ્રસાદ મોકલવા માટેની વ્યવસ્થા પોસ્ટ વિભાગ સાથે કરી રહ્યા છીએ.
આ રીતે કરાવી શકે છે ભક્તો પૂજા
એસએએસબીના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું કે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના ભક્તો માટે વર્ચ્યુઅલ પૂજા, નામથી વર્ચ્યુઅલ હવન અને ઓનલાઈન પ્રસાદ બુકિંગ સહિત ઓનલાઈન સેવાઓનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે ઓનલાઈન સેવાઓ 6 જુલાઈથી વચ્યુઅલ પૂજા માટે 1100 રૂપિયાની સાથે અને 1100 રૂપિયા પ્રસાદ બુકિંગ માટે (અમરનાથજીને 5 ગ્રામ ચાંદીના સિક્કા સાથે), 2100 રૂપિયા પ્રસાદ બુકિંગ માટે(અમરનાથજીને 10 ગ્રામ ચાંદીના સિક્કા સાથે) અને 5100 રૂપિયામાં વિશેષ હવન કરાવી શકાય છે.
એપની મદદથી ભક્તો આભાસી ઓનલાઈન રૂમમાં કરશે પૂજા
શ્રાઈન બોર્ડની વેબસાઈટની મદદથી બુક ઓનલાઈન પૂજા, હવન કે પ્રસાદ લિંક પર ક્લિક કરીને કે બોર્ડના મોબાઈલ એપ્લીકેશનની મદદથી પણ તમે આવું કરી સકો છો. નીતિશ્વરે કહ્યું કે આભાસી પૂજા કે હવન પવિત્ર ગુફા પૂજારી દ્વારા ગુફા મંદિરમાં મંત્ર અને શ્લોકના જાપની સાથે ભક્તના નામે ગોત્રના ઉચ્ચારણ કરીને કરાશે. ભક્તોને JioMeet એર્લીકેશનની મદદથી આભાસી ઓનલાઈન રૂમમાં એન્ટ્રી મળશે. જેમાં તેમના નામે એક વિશેષ આભાસી પૂજા અને પવિત્ર બરફ લિંગમના દર્શન થશે.
હાલમાં અનેક ડિજિટલ પ્લેટફોર્મ પર શ્રાઈન બોર્ડ ભગવાન શિવની પવિત્ર ગુફાથી સવારે અને સાંજે આરતીના લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી ચૂક્યું છે. તેને પીબીએનએસ અને દૂરદર્શન પર લાઈવ પ્રસારિત કરાય છે.