ગત રોજ અમરનાથ ગુફાની આજૂબાજૂમાં થયેલા અનારાધાર વરસાદના કારણે હજારો લોકો ફસાયા છે, જ્યાં હાલ ભારતીય સેનાની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક આભ ફાટ્યું
ભારે વરસાદના કારણે આવેલી આપદાથી 16 લોકોના મોત
આજે સવારમાં 6 લોકોને બચાવી લેવાયા
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે.
Jammu and Kashmir | Visuals from Sonamarg's Baltal base camp as Amarnath Yatra remains temporarily suspended
જમ્મુ કાશ્મીર પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાદળ ફાટવાના કારણે આવેલી આપદાથી અમરનાથ યાત્રા હાલ પુરતી અટકાવી દેવામા આવી છે. તથા તેને શરૂ કરવાનો નિર્ણય બચાવ કાર્ય પુરુ થયા બાદ જ લેવાશે. અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી.
#WATCH | Indian Army continues rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site
અધિકારીઓએ જણાવ્યુ હતું કે, વરસાદના કારણે પહાડમાંથી પાણી અને મોટો પ્રવાહ વહેવા લાગ્યા હતા. એનડીઆરએફની એક ટીમ પ્રભાવિત વિસ્તારમાં તૈનાત છે. આ મોટી ત્રાસદીને જોતા ભારતીય સેનાએ મોર્ચો સંભાળી લીધો છે. જ્યાં હેલીકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
#WATCH | 6 pilgrims evacuated as part of the air rescue operation, this morning. Medical teams present at Nilagrar helipad. Mountain rescue teams & lookout patrols are in the process of searching for the missing.#AmarnathYatra
અમરનાથમાં આભ ફાટવાની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. તેની સાથે જ તેમણે ક્યું કે, આ ઘટના પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથએ ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.
A fresh batch of Amarnath Yatra pilgrims leaves from the Jammu base camp for Baltal and Pahalgam base camps in Kashmir
"We're heading towards the Pahalgam camp and are hoping that yatra will resume. We pray to Baba Bholenath to protect all the pilgrims," says a pilgrim pic.twitter.com/Js2zahzTVu
સોનિયા ગાંધીએ અમરનાથ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ અમરનાથ ગુફામાં વાદળ ફાટવાની ઘટના પર પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, હું અમરનાથની પવિત્ર ગુફા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટનામાં શ્રદ્ધાળુઓના મોતથી દુ:ખી છું.
#AmarnathCaveCloudBurst | ITBP troops carried out rescue operation in cloudburst affected area at the lower Amarnath Cave site
અમરનાથ ગુફાથી લગભગ 2 કિમી દૂર આ ઘટના ઘટતા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે આ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે.
#WATCH | Pilgrims who reached Sonamarg's Baltal base camp from Amarnath holy cave narrate their experiences