જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ સેનાએ મોર્ચો સંભાળી લીધો છે અને ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલું છે.
અમરનાથ ગુફા વિસ્તારમાં આભ ફાટવાથી જળ હોનારાત
અત્યાર સુધીમાં આ હોનારતમાં 16 લોકોના થયા મોત
40થી વધારે શ્રદ્ધાળુઓ હજૂ પણ ગુમ
જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સાંજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગુફાની પાસ ભારે પાણીના વહેણમાં કેટલાય શ્રદ્ધાળુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ ચુકી છે. તો વળી 40 લોકો ગુમ થયા છે. કહેવાય છે કે, ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
#WATCH | Rescue operation in progress in the cloudburst-affected areas in #Amarnath, J&K
રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળ પર આઈટીબીપી અને એનડીઆરએફની ટીમો લાગી ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે, સેનાએ અત્યાર સુધીમાં 15 હજાર શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દીધા છે. તો વળી NDRFના ડીજી અતુલ કરવાલે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. અને 40ની આસપાસ લોકો ગુમ છે. રાતના સાડા ચાર કલાક સુધી રેસ્ક્યૂ કામ ચાલતું હતું. બાદમાં વરસાદ શરૂ થતાં રાહત અને બચાવ કાર્ય રોકી દેવામાં આવ્યું હતું. હવે આજે ફરી સવારના 6 વાગ્યાથી કામ શરૂ કરી દીધું છે.
J&K | Army personnel reach Nilgrar, Baltal to evacuate the affected in the aftermath of the cloudburst incident which was reported, early this morning pic.twitter.com/EL07NvzKsA
ITBPના અધિકારી વિવેક કુમાર પાંડેએ જાણકારી આપી છે કે, સ્થાનિક પ્રશાસન તરફથી અમને સૂચના મળી છે કે, લગભગ 30-40 લોકો હજૂ પણ ગુમ છે. ITBP, ભારતીય સેના, NDRF, SDRF અને જમ્મુ કાશ્મીર પોલીસની સાથે મળીને કામ કરી રહ્યા છે, ગુફાવાળા વિસ્તારમાં ગુમ થયેલા લોકો મળી શકે છે.