હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળ અમરનાથ યાત્રાને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન નહીં કરી શકાય. દેશના લાખો ભક્તો પવિત્ર અમરનાથ ગુફા સુધી નહીં પહોંચી શકે.
અમરનાથ યાત્રા પર રોક
ચાલુ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા
કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમરાનાથ યાત્રા આ વખતે નહીં યોજવાનો નિર્ણય જમ્મુ કશ્મીર વહીવટી તંત્રએ લીધો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કશ્મીરના ઉપરાજ્યપાલ સાથેની બેઠકમાં યાત્રા પર રોક લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
To keep the religious sentiments alive, Board shall continue live telecast/virtual darshan of morning & evening aarti. The traditional rituals shall be carried out as per past practice. Chhadi Mubarak shall be facilitated by the Govt: Raj Bhavan, Government of Jammu & Kashmir https://t.co/Y55JwOLgxN
આપને જણાવી દઇએ કે, આજરોજ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ અમરનાથ યાત્રાને લઈને આજે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમરનાથ યાત્રા બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ બોર્ડ મેમ્બરે યાત્રા ન થવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. લાંબી ચર્ચા બાદ સર્વસમ્મતિથી અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ શ્રી અમનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ પણ છે.