જમ્મૂ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. અમરનાથ યાત્રા 1લી જૂલાઇથી 15 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મૂ-કાશ્મીર સરકાર, સુરક્ષાબળ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય વ્યવસ્થા સઘન કરી છે.
Jammu and Kashmir: First batch of pilgrims enroute Amarnath cave shrine, after the batch was flagged off from Baltal base camp, this morning. #AmarnathYatrapic.twitter.com/GCO2TiQ5AP
સવારે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યાપાલ મલિકની સાથે પ્રથમ પૂજા બાદ શ્રધ્ધાળુઓ શિવલિંગના દર્શન કરી રહ્યાં છે. જમ્મૂથી અમરનાાત્રાનો બીજો જથ્થો બાલટાલથી પહેલગામ જવા રવાના થઇ ગયો છે.
Jammu and Kashmir: First batch of #AmarnathYatra has been flagged off from Baltal base camp. Pilgrims leave for Amarnath Cave shrine. pic.twitter.com/Wk2Fjl5Hho
અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે. અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો જમ્મૂથી રવાના થયો છે. સુરક્ષાની વચ્ચે યાત્રીઓ યાત્રા માટે રવાના થયા છે. ત્યારે અમરનાથ યાત્રા માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરી હોવાનો સરકારનો દાવો છે.
જ્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે મોટુ નિવેદન આપ્યું હતું. જિતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આવતા વર્ષથી સુરક્ષાની કદાચ જરૂર નહી પડે. કશ્મીરના લોકો જ યાત્રાની સુરક્ષા કરશે. જમ્મૂ કશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ સુધરી રહી છે. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે, કશ્મીરી યુવાનોનો ભારત પ્રત્યેનો ઝુકાવ વધી રહ્યો છે, જેને લઈને અહી સારૂ વાતાવરણ બની રહ્યું છે.
એક દિવસમાં 15 હજાર લોકો અમરનાથબાબાના દર્શન કરશે
જમ્મૂથી અમરનાથ યાત્રા માટે બીજો જથ્થો બાલટાલથી પહલેગામ જવા રવાના થઇ ગયો છે. યાત્રાની સુરક્ષાની જવાબદારી પોલીસની સાથે અર્ધસૈનિક દળ અને સેના પાસે છે. અમરનાથા યાત્રા માટેના બંને રસ્તેથી અંદાજે 15 હજાર લોકો અમરનાથ બાબાના દર્શન કરશે.