કોરોના મહામારીને કારણે 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે. તો અમરનાથ યાત્રાનું 11 એપ્રિલે રજીસ્ટ્રેશન શરૂ થઇ જશે. ત્યારે અમરનાથ યાત્રા અંગેની તમામ માહિતી જાણી લો...
બે વર્ષ પછી ખુલ્યું બાબા અમરનાથનું મંદિર
30 જૂનથી 11 ઓગસ્ટ સુધી 43 દિવસ ચાલશે અમરનાથ યાત્રા
13થી 75 વર્ષના લોકો કરાવી શકશે રજિસ્ટ્રેશન
બાબા બર્ફાનીના દર્શનની ઇચ્છા ધરાવતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર છે. ગત 2 વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવા જઇ રહી છે. તેના માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(SASB)એ બુધવારે આ માહિતી આપી છે.
શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(SASB)એ ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ ભક્તો અમરનાથ યાત્રા 2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકે છે. પવિત્ર અમરનાથની યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ સુધી ચાલનારી યાત્રાનું સમાપન 11 ઓગસ્ટ 2022એ થશે.
It is for the information of all devotees and intending yatris that the advance registration for Shri Amarnathji Yatra 2022 shall commence from 11-04-2022.
For details about advance registration, kindly refer to the video clip attached.@OfficeOfLGJandK@diprjk@nitishwarKumarpic.twitter.com/6cclzOImIT
— Shri AMARNATHJI SHRINE BOARD SASB. (@ShriSasb) April 6, 2022
અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પ્રકાર
એડવાન્સ રજિસ્ટ્રેશન
ઓનલાઈન રજિસ્ટ્રેશન
ગૃપ રજિસ્ટ્રેશન
NRIs રજિસ્ટ્રેશન
ઓનસ્પોટ રજિસ્ટ્રેશન
યાત્રા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકશો?
હેલીકૉપ્ટર યાત્રાના વધુમાં વધુ 2 રસ્તે દરરોજ તમામ રૂટ પર 10 હજાર શ્રદ્ધાળુઓ જઇ શકે છે. તેનું રજિસ્ટ્રેશન SASB મોબાઇલ એપ દ્વારા કરી શકાય છે.
આ સિવાય, મેડિકલ સર્ટિફિકેટ માટે www.shriamarnathjishrine.com વેબસાઇટ પર વિજિટ કરી શકો છો. આ વેબસાઇટ પર ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સંસ્થાઓની માહિતી આપવામાં આવી છે.
યાત્રા માટે જરૂરી દસ્તાવેજો
ફોર્મેટ અનુસાર ફોર્મ ભરવું
ડૉક્ટર અથવા હોસ્પિટલનું સ્વાસ્થ્ય સર્ટી
પાસપોર્ટ સાઈઝના 4 ફોટા
કઇ ઉંમરના લોકો કરી શકે યાત્રા
13થી 75 વર્ષના લોકો અમરનાથ યાત્રા કરી શકે છે
6 મહિનાથી વધુ ગર્ભાવસ્થાવાળી મહિલાઓને યાત્રા માટે મંજૂરી નથી.
જરૂરી માહિતીઓ
5થી વધુ પરંતુ 50થી ઓછા વ્યક્તિ ગ્રુપ રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે.
ત્યારે, પ્રવાસી(NIRs) શ્રદ્ધાળુઓનું રજિસ્ટ્રેશન નક્કી કરેલા દિવસ અને રૂટના કોટાના આધારે નક્કી કરવામાં આવશે.
NRIs માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે. તેઓ પોતાના સર્ટિફિકેટ [email protected] મેઇલ આઇડી પર મેઇલ કરી શકે છે.
એડવાન્સ રજિસ્ટ્રેશન ન થવા પર શ્રદ્ધાળુ જમ્મુ અને શ્રીનગરમાં ઑનસ્પૉટ એટલે સ્થળ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.